________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪: પ્રવચન નવનીત ભાગ-૧
ટુકડો દાઢથી પણ થતો નથી. રોટલીનો ટુકડો (તેના) પોતાનાથી થાય છે. (પણ ) એને (અજ્ઞાનીને ) તત્ત્વની ખબર નથી. આત્મા રોટલીનો ટુકડો કરે, એમ અજ્ઞાની-મિથ્યાદષ્ટિ માને છે. એને જૈનધર્મની ખબર નથી. આહા... હા! ઝીણી વાત છે, ભાઈ! પાગલ લોકોને ધર્માત્મા પાગલ જેવા લાગે છે. કારણ કે એ વાત કરે કેઃ કોઈનું કરી શકાતું નથી. એક રજકણને હલાવી શકાતો નથી. આ ચશ્માં અહીંથી અહીં આવ્યાં, એને આત્મા કરી શકે નહીં. પગ જે જમીન પર ચાલે છે, એ પગ જમીનને સ્પર્શતા નથી, અને જમીનને સ્પર્ધા વિના પગ ચાલે છે. એમ ૫૨માત્માનો પોકાર છે. (પણ એ વાતો અજ્ઞાનીને ) પાગલ જેવી લાગે કે: અમે ચાલીએ છીએ ને ! જમીનને અડીએ છીએ ! જમીનને અડયા વિના પગ ચાલે છે? અહીં પ૨માત્માનો - વીતરાગસર્વજ્ઞનો પોકાર છે કેઃ પગ જે ચાલે છે, એ જમીનને અડયા વિના ચાલે છે. (પણ આવું કહેના૨) પાગલ લાગે. આહા... હા! આ આંખની પાંપણ ચાલે છે, એ જડથી ચાલે છે; આત્માથી નહીં. એ જડની દશા છે, એ તો માટી – પુદ્ગલની પર્યાય છે. એને આત્મા કરે, એની તો અહીં વાત જ નથી. અહીં તો અંદરમાં જે પુણ્ય-પાપના વિકલ્પ જે રાગ થાય છે, એનો પણ કર્તા-ભોકતા (સમ્યક્ ) દષ્ટિવંત નથી. પણ શુદ્ધ જ્ઞાન, જે ક્ષાયિક જ્ઞાન, જે કેવળજ્ઞાનીને થયું એ પણ વાણી આદિનું કર્તા-ભોકતા નથી. વાણી વાણીના કારણે (નીકળે છે ). ભગવાનની દિવ્યધ્વનિ - ધ્વનિ-નીકળે છે; એ વાણીના પણ કર્તા ભગવાન નથી. આહા... હા! ભગવાનની વાણીથી કોઈ ધર્મ સમજે છે, તો એ વાણીથી સમજ્યા છે એમ પણ નથી. આહા... હા ! માર્ગ એવો છે!! એ અહીં કહ્યો.
,,
(રાગાદિનો કર્તા-ભોકતા) એ દૃષ્ટિની અપેક્ષાએ તો નહીં, એ વાત તો થઈ ગઈ; પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ ” અર્થાત્ કેવળજ્ઞાન પણ (કર્તા-ભોકતા નથી). શુદ્ધજ્ઞાનપરિણત તો પહેલાં લીધું છે. પહેલાં શુદ્ધજ્ઞાન ત્રિકાળી લીધું, પછી શુદ્ધજ્ઞાનપરિણત લીધું; એ દષ્ટિની અપેક્ષાએ કથન ( કર્યું ). હવે જ્ઞાનની અપેક્ષાએ લઈએ. “વિઠ્ઠી સયં પિ બાળ दिठ्ठी (દષ્ટિ) ની વાત થઈ ગઈ. હવે “ સ્વયં પિ નાખું”. “વિઠ્ઠી” એનો અર્થ તો થયો આટલો. હવે “ સ્વયં વિ નાનં ” સ્વયં જ્ઞાન સર્વજ્ઞનું જ્ઞાન-પણ વાણીનું કર્તા નથી; એને તો રાગદ્વેષ નથી. આહા... હા! સૂક્ષ્મ વાત છે. ભગવાનને પ્રદેશનું યોગમાં કંપન થાય છે પણ (તે ) એ કંપનના કર્તા-ભોકતા નથી. ભગવાન સર્વજ્ઞ પરમાત્મા, એ વાણીના તો કર્તા નથી; પણ જ્યાં સુધી ચૌદમું ગુણસ્થાન ન આવે, ત્યાં સુધી અયોગ ન થાય, તો અસંખ્ય પ્રદેશમાં યોગ-કંપન થાય છે. અંદર અસંખ્ય પ્રદેશમાં કંપન થાય છે, એ કંપનના પણ કર્તા-ભોકતા (ભગવાન) નથી.
11
અરે... રે! સત્ય ક્યાં રહી ગયું! અને ક્યાં અસત્યને પંથે દોરાઈ જઈને અમે ધર્મ કરીએ છીએ! ને ધર્મ થાય છે, એવા ભ્રમમાં અનંત અનંત કાળ ગયો !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com