________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪: પ્રવચન નવનીત ભાગ-૧ આત્મા (માં) પુરુષાર્થ નામનું એક એવું વીર્ય છે, એક ગુણ છે, જે પોતાની અનંતી શક્તિ-ગુણ નિર્મળ છે, પવિત્ર છે એની પર્યાયમાં રચના કરે; રાગની રચના નહીં.
છતાં, જ્ઞાનીને રાગ આવે છે; પણ “રાગનું કર્તુત્વ મારું છે, અને રાગ મારે કરવા લાયક છે' , એમ (જાણતા-માનતા) નથી; એક વાત. છતાં બીજી વાત એમ પણ છે કે, જ્ઞાનીને ભક્તિ આદિનો રાગ આવે છે તો એ પરિણમન (પોતાનું) છે, તેથી “ એ રાગનો કર્તા હું છું” એવું પણ માને છે. (એ વાત) ૪૭ નયના અધિકારમાં આવે છે. “રાગ કરવા લાયક છે” એમ નહીં; પણ પરિણમન થાય છે, એ કારણથી “કર્તા' કહેવામાં આવે છે.
આહા.. હા! આટલી અપેક્ષાઓ...! પ્રભુ! પ્રભુનો પાર ન મળે. વીતરાગ-માર્ગ ગંભીર ગંભીર ગંભીર !! આહા... હા! તેના એક એક પદ અને એક એક શ્લોક સમજવા... બહુ અલૌકિક વાત છે! બાપુ! એમ ને એમ “સમયસાર” વાંચી જાય ને ભણી જાય (તેથી કાંઈ સિદ્ધિ નથી). એક જણો (એમ) કહેતો હતો કે સ્વામીજી! આપ તો “સમયસાર' ની ઘણી પ્રસિદ્ધિ-વખાણ કરો છો; પણ મેં તો પંદર દિવસમાં “સમયસાર” વાંચી લીધું. અરે ભાઈ ! એક લીટી સમજવી, એક ગાથા ને એક પંક્તિ સમજવી.... અલૌકિક છે!
કહે છે કે જે કોઈ પ્રતિજ્ઞા કરીને કહે કે, અમારે પોતાના સ્વરૂપમાં સામાયિક કરવી છે; અને સામાયિક મને મોક્ષનું કારણ છે; એવી પ્રતિજ્ઞા લઈને પણ શુભ ભાવથી હુઠતો નથી; અને પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ કરતો નથી અને રાગની પરિણતિમાં પડ્યો છે (તો તે) નપુંસક છે, પાયો છે, હીજડો છે. જેમ નપુંસકને વીર્ય હોતું નથી, તો પુત્ર-પુત્રી હોતાં નથી. તેમ શુભ ભાવ પણ નપુંસક છે; શુભભાવમાંથી ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. વાત ભારે આકરી !
છતાં, શુભભાવ જ્ઞાનીને પણ આવે છે. (તોપણ તે) જાણે છે કે (આ) મારી કમજોરી છે. મારું (જે) મૂળ વીર્ય છે, એનું આ કાર્ય નથી. અંદર મારો પુરુષાર્થ જે તેનું આ કાર્ય નથી. કારણ કે, “વીર્ય” તો અંદર ત્રિકાળ પવિત્ર છે. પવિત્રતાનું કાર્ય તો... બધા-અનંત ગુણ પવિત્રની સાથે વીર્યગુણ પવિત્ર છે. પવિત્રતાની રચના કરે એ છે. અને રાગની પર્યાયમાં (તો) દુઃખ ઉત્પન્ન થાય છે. (એથી) એ કાર્ય, મારું-પવિત્ર ગુણનું-પુરુષાર્થનું-વીર્યનું-નથી. આહા... હા! ઝીણી વાત છે, ભાઈ ! થોડી આવી ગઈ “આ”, “એનું એ’ ફરી વાર આવે, એવું કાંઈ છે? એ તો આવવાવાળું હોય તે આવે.
અહીંયાં (કહે છે:) “કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાનાં પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાનાં પરિણામનું જ કર્તા છે, પોતાનાં પરિણામ કર્મ (એટલે કાર્ય ) છે. આ રીતે જીવ બીજાનાં પરિણામોનો અકર્તા છે”. -એ સિદ્ધ કર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com