________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭): પ્રવચન નવનીત ભાગ-૧ નિર્ણય કરવો) અને પછી પર્યાયનો આશ્રય છોડીને દ્રવ્યનો આશ્રય કરવો. તો “પર્યાય છે' એનો આશ્રય છોડવો કે “ન હોય” એનો આશ્રય છોડવો? આહા.. હાં.. હા !
અહીંયાં કહે છે કે પહેલાં ઘાતી કહ્યું નિમિત્તથી. અને અંતરમાં પોતાના કારણથી ઘાત થાય છે એ અશુદ્ધ ઉપદાનથી. (ઘાતી કર્મ) તે તો નિમિત્ત છે. (પરંતુ) “નિમિત્ત કંઈ પરનું કરતું નથી. (છતાં, એમ ) અસદ્દભૂત વ્યવહારનયથી કહેવામાં આવે (છે). કેમ કે, અહીં (આત્મામાં) ઘાત પોતાનાથી થાય છે, તો ત્યાં નિમિત્ત કોણ છે? એ જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. (ખરેખર) નિમિત્ત ઘાત કરતું નથી ! તો “ઘાત કરે છે' , છતાં એમ કેમ કહ્યું કે “ઘાત કરતું નથી ? તો કહે છે કેઃ “પર્યાયાર્થિકનયે ઢાંકે છે, (એમ જાણવું”). છે ને.. સામે પાનું (શાસ્ત્ર)..! ક્યા શબ્દનો અર્થ થાય છે, ( એ બરાબર ખ્યાલ રહેવો જોઈએ !)
હવે (કહ્યું) : “કાળાદિ લબ્ધિના વશે”. એનો અર્થ? અમે તો પહેલાંથી જ એ કહીએ છીએ કે, ભાઈ ! કાળે થશે' --એ વાત તો બરાબર છે, પણ “કાળે થશે” –એનું જ્ઞાન કોને થાય છે? કહ્યું ને..! ૬૩ વર્ષ પહેલાં ૭ર ની સાલમાં ઘણી વાત (ચર્ચા) ચાલી: ભગવાને દીઠું હશે તેમ થશે '; (એ) વાત તો બરાબર છે; પણ “ભગવાન છે જગતમાં ? એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોક જોવાની, એક સમયની એક ગુણની, એક પર્યાય એ જગતમાં છે” –એનો સ્વીકાર છે. પહેલાં? આહા. હા! “એ સ્વીકાર થાય' ત્યારે તો એ સર્વજ્ઞની સિદ્ધિ (છે). ( એની સિદ્ધિ) પર્યાયના લક્ષે થાય નહીં, પરના લક્ષે થાય નહીં. “પોતાનો સર્વજ્ઞસ્વભાવ ત્રિકાળ છે” (એમ સ્વીકાર કર્યો, એની સિદ્ધિ થાય છે). એનો અર્થ સર્વજ્ઞની સિદ્ધિ, (પોતાના) દ્રવ્યના આશ્રયે થાય છે ! તે વખતે તો એટલું કહ્યું હતું કે જ્ઞાનમાં ઘૂસી (-સમાઈ ) જાય, ત્યારે સર્વની (અર્થાત્ ) યથાર્થ પ્રતીત થાય છે. તે સમયે તો હજી આ શાસ્ત્ર જોયું પણ નહોતું -હાથમાં આવ્યું નહોતું. જે (વાત) પ્રવચનસાર ૮૦મી ગાથામાં ચાલે છે (તે ) વાંચી પણ ન હતી. (પણ) એ જ ભાવ અંદરથી આવ્યો હતો ! “નો નાગરિ કરતું ધ્વજ્ઞાનત્તપન્નયત્તેટિં” – જે કોઈ અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે - “સો નારિ બપ્પા ”એમ ત્યાં લીધું છે. નહીંતર (તો) પરદ્રવ્યને જાણે, એ સ્વદ્રવ્યને જાણે -એમ નથી. પણ “પદ્રવ્યને ' જાણ્યું શા માટે ? કેઃ એ શું ચીજ છે? અને મારી ચીજ આવી (જ) છે! એવો ( નિર્ણય કરે ). એવો જીવ ત્યાં લીધો છે. આહા.. હાં.. હા ! જેવા દ્રવ્ય-ગુણ-પર્યાય ભગવાનના છે, એવા જ દ્રવ્યગુણ મારા છે; (એમ) પર્યાયમાં નિર્ણય કરે છે. તો (એવા નિર્ણયમાં ), (પોતાના) ત્રિકાળી જ્ઞાયકભાવની દષ્ટિ થાય! સમજાય છે કાંઈ ?
(કહે છેઃ) કેવળજ્ઞાન એ વ્યવહારનયનો વિષય છે. તો (શું) એ કેવળજ્ઞાન નથી? એ વ્યવહારનયનો વિષય જૂઠો છે, એમ છે? જેમ “ઘીનો ઘડો” જૂઠું છે તેમ “કેવળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com