________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪: પ્રવચન નવનીત ભાગ-૧
પણ જ્ઞાનીને જ્યારે “ક્રમબદ્ધ' નો નિર્ણય થયો, તો એનું (રાગનું) પણ જ્ઞાન (થયું). પણ રાગ થયો તો રાગસંબંધી જ્ઞાન થયું એમ પણ નથી. આહા.. હા ! સમજાય છે કાંઈ ?
“કમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી” (અર્થાત્ ) “પોતાનાં અનંત નિર્મળ પરિણામોથી ' (એટલે કે) જેટલા અનંત ગુણ છે એટલા પર્યાયમાં આવ્યા. એક ગુણની એક, પણ અનંત ગુણની અનંત પર્યાય, એક સમયમાં થઈ. જ્યાં સમ્યગ્દર્શન થયું, ક્રમબદ્ધનો નિર્ણય થયો, સર્વજ્ઞગુણનો નિર્ણય થયો, સર્વદર્શીનો ( નિર્ણય થયો), (એટલે કે ) સર્વ ગુણને ધરવાવાળા દ્રવ્યનો નિર્ણય થયો, તો અનંતા અનંતા જેટલા ગુણ છે તે બધા પરિણામમાં નિર્મળપણે ઉત્પન્ન થાય છે.
આહા.... હા ! ઝીણું બધું, ભાઈ ! સમજાય એટલું સમજવું, બાપુ! આ તો પરમાત્મા, ત્રણ લોકના નાથના ઘરની વાતું છે! એના પેટની વાતું છે!
પુરુષાર્થ વિના કોઈ પર્યાય થતી જ નથી. કેમકે વીર્યગુણ જે છે, એનું રૂપ અનંત ગુણમાં છે. (અર્થાત્ ) અનંત ગુણમાં પણ વીર્ય નામની શક્તિનું રૂપ છે. જ્યારે દષ્ટિ દ્રવ્ય ઉપર થઈ તો અનંત ગુણમાંથી વીર્યથી પર્યાય પ્રગટ થાય છે. “ભગવાને દીઠું તેમ થશે' એવો નિર્ણય જ્યાં થયો, તો પોતાની પર્યાયમાં અનંતી પર્યાયો પુરુષાર્થથી ઉત્પન્ન થાય છે.
બીજી વાત એ “પરિણામોથી ઊપજતો થકો” – (એટલે કેઃ) એ વખતે રાગ કે અજીવ બધી ચીજ બહારમાં (ભલે) હોય.. પણ એ સંબંધી જ્ઞાન, પોતાનું પોતાથી ઊપજતું થયું એ (પ) ચીજને જુએ છે કે (પર) ચીજને જાણે છે – એમ પણ નથી. પર ચીજને દેખવી-જાણવી, એમ તો છે જ નહીં. એ તો પોતાને જ દેખું-જાણે છે. કારણ કે પરને અને પોતાની પર્યાયને અત્યંત અભાવ છે. જો બન્નેમાં અત્યંત અભાવ છે; તો આ (જ્ઞાન) પર્યાય એને (પરને ) દેખે છે, એમ કહેવું તે તો અસદ્દભૂતવ્યવહારનયનું કથન છે. લોકાલોકસંબંધી અને પોતાના દ્રવ્યસંબંધિત જે (જ્ઞાન-) પર્યાય ઉત્પન્ન થઈ, તે (તો) પોતાના સામર્થ્યથી, પોતાના કારણે ઉત્પન્ન થઈ છે. લોકાલોક છે તો (જ્ઞાન- ) પર્યાય ઉપજી; એમ પણ નથી.
આહા... હા! હવે આ આટલે બધે જવું... કઠણ પડે, બાપુ ! પણ માર્ગ તો આ છે.
પોતાનાં પરિણામોથી ઊપજતો થકો” –બીજાંનાં પરિણામોને “જીવ” ન કહ્યાં. (એક બાજુ એમ કહે કેઃ) પર્યાય દ્રવ્યમાં જતી નથી અને દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. (તથા) અહીં એ કહ્યું કેઃ પરિણામોથી ઊપજતો થકી જીવદ્રવ્ય જ છે. એ અનંત ગુણનું પરિણમન (જીવ જ છે.) આહા... હા... હા !
જ્યારે “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવા જાય છે ત્યાં જ્ઞાયકસ્વભાવ ઉપર (દષ્ટિ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com