________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬: પ્રવચન નવનીત ભાગ-૧
એ અપેક્ષાએ કહ્યું છે; પણ સમ્યગ્દર્શન છે તે તો વીતરાગી પર્યાય છે. આ ‘ક્રમબદ્ધ’ માં પણ એ (વીતરાગી પર્યાય ) આવે છે. આહા... હા... હા!
જે સમયે જે પર્યાય થશે, તેને આવી-પાછી કરવી, એ વસ્તુની મર્યાદામાં નથી. વસ્તુની સ્થિતિ એવી છે. પર્યાય આઘી-પાછી થવી, તે વસ્તુની સ્થિતિ નથી. તેથી તે (પર્યાય ) આઘી-પાછી થતી (જ) નથી. અને જ્યારે (પર્યાય સ્વકાળે) થઈ છે, તેનું યથાર્થ જ્ઞાન જ્યારે થવાનું છે (ત્યારે થશે). તો યથાર્થ જ્ઞાન ક્યારે થશે ? (એટલે કે) જે પર્યાય ક્રમબદ્ધમાં આવી છે, તેનું યથાર્થ જ્ઞાન ક્યારે થશે? કેઃ જ્યારે વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા (જે) છે, એનું-સ્વનું-જ્ઞાન થશે, ત્યારે તે (ક્રમબદ્ધ) પર્યાયનું જ્ઞાન (યથાર્થ ) થશે. આહા... હા... હા ! સમજાય છે કાંઈ ?
6
કાલે કહ્યું હતું ને...? (વિક્રમ ) સંવત ૧૯૭૨માં (-૬૩ વર્ષ પહેલાં) સંપ્રદાયમાં મોટો પ્રશ્ન ઊઠયો હતો. [ અમે નવદીક્ષિત, ૨૪ વર્ષ (ની ઉંમરે) ૭૦માં દીક્ષા, ત્યારે ૭૨માં દીક્ષાને બે વર્ષ થયાં. અમે તો પહેલેથી જ આ કહેતા હતા. પણ બહાર વાત પછી મૂકી.) એ લોકો ( સંપ્રદાયના સાધુઓ ) એમ કહેતા હતા કે: કેવળીએ દીઠું તેમ થશે.' એ તો અહીં ભગવતીદાસજી પણ કહે છે કે: ‘જો જો દેખી વીતરાગને સો સો હોસી વીરા રે.' –પણ એનું તાત્પર્ય શું ? ‘એ વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જોયું તેમ થાય છે' તો એ વીતરાગ સર્વજ્ઞ જગતમાં ‘છે’... એવી સત્તાનો સ્વીકારછે... પહેલાં? -એ સત્તાના સ્વકાર પછી, ‘એણે જોયું તેમ થશે ' –એ પછીની વાત! આ મોટી વાત (ચર્ચા) તો ૭૨ થી ચાલે છે. (દીક્ષા) ગુરુએ તો મારી વાત સ્વીકારી લીધી; પણ ગુરુભાઈ ઘણો વિરોધ કરતા કેઃ ‘ આત્મા પુરુષાર્થ બિલકુલ કરી શકે નહીં, સર્વજ્ઞે દીઠું તે દી થશે'.
>
-
પ્રભુ! આ તો વીતરાગની વાણીમાં આ ‘સાર' આવ્યો છે. વીતરાગની વાણી જ્યાં સાંભળી તો એમાં એ આવ્યું કેઃ તારી પર્યાયમાં જ્યારે વીતરાગતાનીય પર્યાય થશે, તે પર્યાયના સ્વકાળે થશે. તો ‘તે સ્વકાળે થશે’ એવી પર્યાય' નો જ્યાં નિર્ણય કરે છે, તો (તે) ત્રિકાળી (નિજ) વીતરાગ (સ્વભાવ ) નો નિર્ણય કરે છે, તો (ત્યાં) સ્વકાળે વીતરાગી પર્યાય ઊપજે છે. આહા... હા... હા !! ઝીણી વાત છે, પ્રભુ !
66
.
શાસ્ત્ર તો ગહન છે!! એ કાંઈ સાધારણ શબ્દ નથી. કુંદકુંદ આચાર્ય “વિયં નં... તુમેનિં” બસ ! એમાંથી સાર કાઢયો છે. આહા... હા... હા! “વિયં નં... મુર્દિ ”. શુળેર્દિ ” એટલે અહીં ‘પર્યાય ’ લીધી. ‘ ગુણ ’ કે દી ઊપજે છે? અહીં પાઠ તો એ છે ને...! “ દવિયં જ ઉપજ્જઇ ગુણહિઁ” –દ્રવ્યમાં જે પ્રકારે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે ઉત્પન્ન થાય છે. એમાંથી અમૃતચંદ્રાચાર્યે -“ મનિયમિત ” કાઢયું !
અહીં પ૨માત્મા... આ સંત કહે છે તે પરમાત્મા જ કહે છે: ગુણની જે સમયે જે પર્યાય દ્રવે છે (તે) ઉત્પન્ન થશે, એવું તેમાં છે, તે ‘ ક્રમનિયમિત ’ છે. ‘ ક્રમે ’ તો ઠીક,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com