________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬: પ્રવચન નવનતી ભાગ-૧ (કહે છે કે, “—ાં વેવ” – શુભ-અશુભરૂપ કર્મોદયને (જાણે છે). શુભ અશુભ ભાવ જે થાય છે, એનો પણ કર્તા-ભોકતા જ્ઞાની-ધર્મી નથી. બંધ-મોક્ષના તો કર્તા નથી, પણ કર્મનો ઉદય આવ્યો અને એને પોતાનાથી શુભ ભાવ થયો, એના પણ (જ્ઞાની) કર્તા-ભોકતા નથી.
આહા.. હા! આવો માર્ગ છે!! પાગલ જેવું લાગે એવું છે. આખો દી અમે આ કરીએ ને! એ વિષય સેવીએ છીએ ને! પણ કોણ સેવે છે? પ્રભુ! તને ખબર નથી. આ શરીરની દશા શરીરથી થાય છે, આત્માથી નહીં. આ પાંચ ઇન્દ્રિયો જડ છે, એ જડની પર્યાય જડથી થાય છે, આત્માથી નહીં. પ્રભુ! તને એટલી પણ ખબર નથી. અહીં તો એનાથી આગળ વધીને (કહે છે કે , શુભ-અશુભ ભાવના પણ (જ્ઞાતી) કર્તા-ભોકતા નથી. સમજાય છે કાંઈ ?
આહા... હા! “મુદ્રાં ળિજ્ઞર” શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાક નિર્જરાના (જે) ચાર પ્રકારે છે, એ ચારે પ્રકારને જ્ઞાની કરતો નથી. કયા ચાર પ્રકાર? - સવિપાક, અવિપાક, અકામ અને સકામ. એ ચાર પ્રકારે નિર્જરા છે. એ ચારે જ્ઞાની – ધર્મી કરતો નથી.
સવિપાક (નિર્જરા ) નો અર્થ શું? કે કર્મનો ઉદય આવ્યો છે, તેને કારણે જે પાક આવે છે; નિર્જરી જાય છે, તે સવિપાક, કર્મનો ઉદય આવ્યો છે, તે વિપાક થઈને ખરી જાય છે. અને અવિપાક એટલે પોતાના સ્વભાવના પુરુષાર્થમાં આવ્યો; તો જે રાગાદિ છે તેનો નાશ થઈ જાય છે, એને અવિપાક નિર્જરા કહે છે. ફરી (વાર) સવિપાકઃ ધર્મ તરફનો પોતાનો પુરુષાર્થ ન હોય અને કર્મનો ઉદય આવ્યો, અને તે ખરી જાય.) (અવિપાકા ) પુરુષાર્થ ધર્મ તરફનો હોય, એને પણ કર્મનો ઉદય આવ્યો તે. સવિપાકઃ કર્મ ઉદય આવીને ખરી જાય છે; એના કર્તા જ્ઞાની નથી.
ફરીથી:
“શુદ્ધજ્ઞાનપરિણત (જીવ) પણ” એમ લીધું ને...! અર્થાત્ સમ્યગ્દર્શન થયું (એ) શું કરે છે? એમ લીધું છે ને? તો કહે છે કે જાણે છે. કોને ? (કે) બંધ-મોક્ષને. બંધ - મોક્ષને જાણે છે (પણ) કર્તા નથી. એ બંધ-મોક્ષના કર્તા-ભોકતા નથી. – એટલું જ છે? (તો કહે છે) કે. એ ઉપરાંત કર્મના ઉદયને પણ જાણે છે અને દેખે છે. ઉદય આવ્યો (એને) જાણે છે. રાગ આવ્યો, તો જાણે છે, (પણ) કર્તા નથી. આહા. હા.. હા... હા !
- સવિપાક (નિર્જરા) : જેમ કે, અહીં મનુષ્યગતિ છે, તો અંદર બીજી ગતિનો પણ ઉદય વિપાક આવે છે, તો (તે) ખરી જાય છે, તો ઉદય વિપાકમાં નથી આવતો, ખરી જાય છે. એ બધા સવિપાક કહ્યા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com