________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬: પ્રવચન નવનીત ભાગ-૧ છે.” –એ અસદભૂતવ્યવહારનયે “પર્યાય” ને ઢાંકે છે, એમ કહેવામાં આવે છે. “પદ્રવ્ય પોતાની (આત્માની) પર્યાયને ઘાતે” એવી વાત નથી. પણ “પદ્રવ્ય ઘાત છે' એ અસદ્દભૂતવ્યવહારનયના વિષયથી કહેવામાં આવ્યું. પણ એ સમયે (જે) પોતાની પર્યાયમાં ભાવઘાત' થયો છે; એ પણ વ્યવહારનય અને પર્યાયનયનો વિષય (છે); પણ એ “સત્ય” છે! જેમ “ઘાતી કર્મથી ઘાત” એ અસભૂત છે; એમ પોતાનો ઘાત થયો’ એ અસદ્દભૂત નથી. (અર્થાત ) “પોતાનાથી જે ઘાત થયો’ એ અસભૂત નથી !
સદભૂતનયના બે પ્રકાર છે. એક તો પોતાનું જ્ઞાન રાગને જાણે, એ સદ્દભૂતઉપચારનય છે. જાણે છે પોતાની પર્યાય, પણ રાગને જાણે; એ સદ્ભુતઉપચાર વ્યવહારનય છે. અને એ જ્ઞાનના પર્યાય, જ્ઞાન એ આત્મા છે-એ પર્યાય જ્ઞાનની તે આત્મા છે; એ સભૂતઅનુપચારનય
જિજ્ઞાસા: “રાગને જાણે ” એ ઉપચાર!
સમાધાનઃ એ ઉપચાર. અને આ અનુપચાર. પણ “એ” છે! (શ્રોતા ) પોતાની પર્યાયને જાણે છે? (ઉત્તર) પર્યાયને જાણે. પણ “રાગને જાણે” (એમ) કહેવું, એ સદભૂત ઉપચાર છે. અને “જ્ઞાન છે એ આત્મા છે' એવો ભેદ થયો, તે સદભૂત (અનુપચાર) છે. પર્યાય તો છે ને. જ્ઞાન છે ને. (એ) સભૂત છે કે નહીં? (એ) અસદ્દભૂત નથી! જેમ “ઘાતકર્મ ઘાત કરે છે” એ અસદભૂત છે. જેમ “માટીનો ઘડો, કુંભારથી થયો' એ અસભૂત છે. પણ માટીમાં (ઘડાની) પર્યાય થઈ છે' એ સદ્દભૂત (અર્થાત્ ) એ સદ્ભુત વ્યવહારનયનો વિષય છે. સમજાણું કાંઈ ?
એ (સમ્યકત્વાદિ પર્યાય) ઢંકાય છે, એ અસદ્દભૂતવ્યવહારનય (છે). પણ પોતાની પર્યાયમાં “ભાવઘાત થયો (એટલે કે) જ્ઞાન-દર્શન-આનંદની પર્યાય હીણી થઈ, એ પણ વ્યવહાર છે, પર્યાયનો વિષય છે; પણ એ ખરેખર તો સદ્દભૂતવ્યવહારનય (છે). એટલું બસ....! પણ “એ” છે! પોતાની પર્યાયમાં, પોતાનાથી ઘાત થાય છે. એવું છે! પોતાની પર્યાયમાં (પોતાથી) પોતાની વાત થાય છે. એ વ્યવહારનયનો વિષય છે. પણ (તે) “વિષય છે જ નહીં ? એમ નથી. અહીં (જે કહ્યું કે ) મોહાદિ કર્મ સામાન્ય પર્યાયને ઢાંકે છે, (એ અસભૂતવ્યવહારનયનું કથન છે ). અહો.. હો !
“તત્ત્વાર્થ રાજવાર્તિક' ની- “તત્ત્વાર્થસૂત્ર' ની અપેક્ષાએ ૫. ટોડરમલજીએ “તત્ત્વાર્થ (શ્રદ્ધાન) ને સમ્યગ્દર્શન કહ્યું” એ તો ત્યાં જે સમ્યગ્દર્શન કહ્યું તે જ્ઞાનપ્રાધાન્યથી (કહ્યું) છે. તત્ત્વાર્થમાં સાત લીધાં ને..? “એકલા આત્માની શ્રદ્ધા' એ દ્રવ્ય-પ્રધાન કથન (છે), અધ્યાત્મદષ્ટિએ કથન (છે). “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્પર્શનમ્” એ વળી જ્ઞાન-પ્રધાનથી કથન છે.
બીજી વાતઃ જે પર્યાય થાય છે એ પણ આત્મામાં સંયોગથી થઈ, એવું કહેવામાં આવે છે. પર્યાયનો સંયોગ થયો. (શ્રોતા ) સંયોગ-વિયોગ ? (ઉત્તર) પર્યાય વ્યય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com