________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૭૯
આવે છે કે નહીં? ૫૨જીવનું કાર્ય કરી શકે છે, એમ આવે છે કે નહીં? (ના! એમ નથી ). ‘આ આત્મા ’ સિવાય બધી ૫૨વસ્તુ- ‘આ જીવ' નથી- ( અજીવ છે). ‘આ જીવ ’ પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામથી ઊપજે છે. (પણ) પ૨જીવમાં (જો ) સમ્યગ્દર્શન ઊપજે, તો તેમાં આ આત્માની પર્યાય ‘કર્તા’ અને એનું તે (બીજાનું ) સમ્યગ્દર્શન ‘કાર્ય ’, એમ નથી.
અહીં કહે છે કેઃ “ છતાં તેને અજીવની સાથે કાર્ય કારણભાવ સિદ્ધ થતો નથી ”. કારણ આપે છે: “ કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે”; શું કહે છે? સર્વ દ્રવ્યોની સાથે ઉત્પાદ્ય અર્થાત્ ઉત્પન્ન થવા લાયક, અને ૫૨ (બીજો) આત્મા ઉત્પાદક, એમ ઉત્પાદ્ય અને ઉત્પાદક છે નહીં.
હાથની આમ ઊંચો થવાની લાયકાત ઉત્પાદ્ય, અને આત્માનો વિકલ્પ ઉત્પાદક; અથવા જ્ઞાનમાં આવ્યું કે મારે હાથ ઊંચો કરવો છે, એવું જ્ઞાન ઉત્પાદક, અને હાથ ઊંચો થયો એ ઉત્પાઘ; –એનો અભાવ છે.
આહા... હા! આ ભભૂતી (−વૈભવ) બીજી છે! આ (ધન-વૈભવ) તો બધી ધૂળતી ભભૂતી છે. ભગવાન! તારો માર્ગ, પ્રભુ કોઈ અલૌકિક છે. બાપુ! સાંભળ્યું-સૂછ્યું અને એનાથી જ્ઞાનની પર્યાય થઈ, ( એમ નથી ). સાંભળનાર-પર્યાય ‘કર્તા’ અને જ્ઞાન-પર્યાય ‘કાર્ય ’, એમ છે નહીં. અને એ પણ પરલક્ષી જ્ઞાન-પર્યાય, એ કોઈ સમ્યજ્ઞાન નથી. શું કહ્યું ? સાંભળવામાં જે અંદર જ્ઞાન-પર્યાય થાય છે, તે તો એની પર્યાય એના કારણે થાય છે; સાંભળવાથી નહીં. પણ એ જ્ઞાન જે ઉત્પન્ન થયું, (એમાં) સૂત્ર-સાંભળવાનું નિમિત્ત છે, તોપણ એ જ્ઞાન સમ્યજ્ઞાન નથી; કારણ કે એ ૫૨લક્ષે થયું છે. સમ્યજ્ઞાનનું કાર્ય, તો પોતાના દ્રવ્યના આશ્રયે થાય છે. શાસ્ત્રનું જ્ઞાન એ ‘કર્તા' અને આત્માનું સમ્યગ્દર્શન ‘ કાર્ય ’, એમ નથી.
આહા... હા... હા! ક્યાં (સુધી ) લઈ જવું...? પ્રભુ! તારી સ્વતંત્રતા...!! તારામાં એક પ્રભુત્વ' નામનો ગુણ છે. ૪૭ શક્તિમાં છે. ઈશ્વર થવાનો ગુણ છે. એક ગુણ ઈશ્વર થવાનો છે, તો બધા ગુણમાં ‘ઈશ્વર' નું રૂપ છે. અનંતા અનંતા ગુણ ઈશ્વરરૂપ છે. ‘ઈશ્વર કોઈ પરની આશા કરતા નથી. '. અખંડ પ્રભુતાથી-સ્વતંત્રતાથી શોભાયમાન પોતાના અખંડ પ્રતાપથી, પ્રત્યેક ગુણની પર્યાય સ્વતંત્રતાથી પોતાની પર્યાયથી ઉત્પન્ન થઈ, જેમાં કોઈ નિમિત્ત કારણ તો નથી; પણ પૂર્વની પર્યાયથી આ (ઉત્તર પર્યાય ) ઉત્પન્ન થઈ એમ પણ નથી. અહીં તો આત્મા જ્ઞાયકભાવથી સીધો પરિણામમાં ઊપજતો હોવા છતાં, (જો કે એની સાથે બીજાં દ્રવ્યો પોતપોતાનું કાર્ય કરે છે, તોપણ ) બીજાના કાર્યમાં એની મદદ મળે, એમ નથી.
આ લાકડી ઊંચી થાય છે; તો એનો કર્તા એમાં છે. એમાં પણ ‘કર્તા' નામની શક્તિ છે. ત્યારે એ (શક્તિ) ના કારણે એવું કાર્ય થાય છે; આંગળીથી નહીં. ( પણ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com