________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬: પ્રવચન નવનીત ભાગ-૧ થવું, એનું જ્ઞાન થવું અને ત્રિકાળીનું જ્ઞાન થવું (એ “સમ્યજ્ઞાન' છે). અને ત્રિકાળીમાં ( રમણતા એ અનુચરણરૂપ સમ્યક ચારિત્ર છે). – “એ-રૂપે ” પર્યાયે પરિણમે છે. એ પર્યાય
આહા.. હા! આવી વાતો છે!! અરે. રે! અનંત કાળથી રખડે છે અને અનાદિથી એમ ને એમ રખડવાના પરિણામ સહિત જીવ છે. એને કંઈ સૂઝ નથી પડતી કે-ચીજ શું છે? હજી તો ખ્યાલમાં નથી આવતું! અંદર પરિણમન કરવું એ તો (વળી) બીજી ચીજ છે. આ શું કહે છે અને શું છે? એ પણ ખ્યાલમાં આવતું નથી! ( અહીં) તો આ કહે છે કેઃ ખ્યાલમાં આવ્યા પછી પણ સ્વસમ્મુખ થઈને સમ્યગ્દર્શન પ્રગટ થાય (એ તો કોઈ અપૂર્વ) છે.
આહા. હા! એ પર્યાયે પરિણત-નિજપરમાત્મદ્રવ્ય તો ત્રિકાળ છે, એની સન્મુખ થઈને પર્યાયે પરિણત-મોક્ષમાર્ગ એ પર્યાય છે, અને મોક્ષ પણ પર્યાય છે. આહા.. હા! “પર્યાય' કોને કહેવી? (ક) મોક્ષ પણ પર્યાય છે અને મોક્ષમાર્ગ પણ પર્યાય છે. અને સંસાર એ પણ વિકારી પર્યાય છે. સ્ત્રી-કુટુંબ-પરિવાર-મકાન, એ કોઈ સંસાર નથી; એ તો “પરચીજ' છે. “રાગ મારો છે. પરચીજ મારી છે. હું એનો છું” એવો મિથ્યાત્વભાવ, એ “સંસાર” છે! એ સંસાર, આત્માની વિકારી પર્યાય છે. સંસાર કોઈ બહારમાં રહેતો નથી. તો એ જે વિકારી પર્યાય છે, એનું લક્ષ છોડીને ત્રિકાળી ભગવાન પરમાનંદની મૂર્તિની શ્રદ્ધા, જ્ઞાન અને એમાં રમવું, તે પર્યાય છે, તે પર્યાયપણે-આત્મા પરિણમે છે, ત્યારે એને મોક્ષનો માર્ગ પ્રગટ થાય (છે). કાલ અહીં સુધી તો આવ્યું હતું.
(હવે કહે છે: ) “તે પરિણમન” (અર્થાત ) પરિણમન કહો, પર્યાય કહો, અવસ્થા કહો, દશા કહો-એ બધું પરિણમન-દશા, જે ત્રિકાળી ચૈતન્યના અવલંબનથી થઈ, તે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર (રૂપ) શુદ્ધ પરિણતિ છે. એ કોઈ બાહ્ય વેશ-ભેખમાં નથી. એ દ્રવ્યમાં ઉપર પર્યાય પરિણમે છે. દ્રવ્ય ઉપર. પણ દ્રવ્યમાં પ્રવેશ કરતી નથી તેથી પર્યાયનું પરિણમન છે, એમ કહ્યું “પર્યાય પરિણમે છે”. કોણ? (કેટ) દ્રવ્ય જે ત્રિકાળી વસ્તુ છે એની સન્મુખ થઈને (પર્યાય પરિણમે છે).
ચાહે તો દયા-દાન-વ્રત-પૂજાનો વિકલ્પ હો, તોપણ એ બધો સંસાર છે, રાગ છે. અરે! આ તે કેમ બેસે? રખડતો અનાદિનો દુઃખી છે. એ ત્યાંથી હુઠીને, અંદર ત્રિકાળી દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરીને જે પર્યાયરૂપી પરિણમન થયું–તે પરિણમનને શું કહેવું? (તો) એમ કહે છે કે “તે પરિણમન ” આગમભાષાથી (ઔપશમિકાદિ ભાવત્રય કહેવાય છે).
અરે. રે! આ તો હજી એકડાના મીંડાની વાત છે. એકલું મીંડું જુદું છે, ને એકડાનું મીંડું ગોળ હોય છે અને એકડાનું મીંડું ગોળ કરીને લાંબુ કરવામાં આવે છે. આ તો હજી એકડાના મીંડાની વાત છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com