________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬: પ્રવચન નવનીત ભાગ-૧
વણકર છે તો એનાથી એ કાપડ વણાય છે, એમ છે જ નહીં. એ કાપડની પર્યાયને ‘કર્તા-કર્મ ની અપેક્ષામાં' વણકરની અપેક્ષા છે જ નહીં. આહા... હા ! આ વાત !!
ઘરમાં તિજોરીમાં પૈસા મૂકે છે. કોઈ ન લઈ જાય. તો કહે છે કે એમાં પૈસા મૂકવાની અપેક્ષામાં, એની ( આત્માની ) અપેક્ષા છે જ ક્યાં ? (પૈસા) રહેવાની એની યોગ્યતાનાં ‘કર્તાકર્મ ’ એમાં છે. તિજોરીથી પણ રહ્યાં નથી. તિજોરીમાં મૂકયા, (તો ) એની અપેક્ષાથી આ ( પૈસા ) રહ્યા નથી. તાળું દીધું... તો કહે છે કે તાળું બંધ થયું એને કૂંચીની અપેક્ષા નથી.
આવી વાત છે, પ્રભુ! પ્રભુની વાત અપૂર્વ છે, નાથ! એ વાત કહેવા પૂરતી નથી, પણ એ વાત અંતરમાં બેસવી (જોઈએ ).
અહીં તો એમ કહે છે કે: ભગવાનની વાણી પણ કાને પડી, તો ત્યાં જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ; એવી વાણીની અપેક્ષા એમાં (જ્ઞાનમાં) નથી. આ પાનું જે છે એને વાંચવાથી જ્ઞાન થાય છે, તો કહે છે કે: જ્ઞાનની પર્યાયમાં આ પાનાની અપેક્ષા નથી. જ્ઞાનની પર્યાય ‘કાર્ય’ છે અને આત્મા ‘ કર્તા’ છે-એ (પણ) વ્યવહાર (છે). નિશ્ચયથી (તો ) પર્યાય ‘ કર્તા’ અને પર્યાય ‘કાર્ય’ છે. આહા... હા! તો એ પાનાને જોવાથી જ્ઞાન થાય છે, એ વાત સાચી નથી. અને ૫૨ને સમજવાનું-જ્ઞાન થાય છે, તો સમજાવવાવાળાની-વાણીની અપેક્ષા એમાં નથી. આહા... હા ! કેટલાથી હઠી જવું?
રોટલીનો ટુકડો થાય છે, તો (તેમાં) દાંતની અપેક્ષા નથી. દાંતના નિમિત્તે ટુકડો થાય છે ને? (ભાઈ!) ટુકડો (જે) થાય છે, એ ‘કાર્ય’ રોટલીના પરમાણુનું છે; એમાં દાંતની અપેક્ષા નથી. આ જાણવામાં આવે છે, તો ચશ્માં નિમિત્ત છે. (જો ) (ચશ્માં ) નીચે ઊતરે તો જાણવામાં ( આવે ) નહીં! (પણ ) એમ કહે છે કે (જાણવામાં) તો ચશ્માંની અપેક્ષા જ નથી. આહા... હા ! સમજાય છે કાંઈ ?
જિજ્ઞાસાઃ સર્વથા (અપેક્ષા ) નથી ?
સમાધાનઃ નિશ્ચયરૂપથી સર્વથા (અપેક્ષા ) નથી. ચશ્માં બીજી ચીજ છે અને જાણવાની પર્યાય બીજી ચીજ છે; તો જાણવાની પર્યાયમાં ચશ્માંની અપેક્ષા જ નથી. ...તો ચશ્મા ચઢાવે છે કેમ ? કોણ ચઢાવે છે? એ અઢે છે તો એના કર્તા-કર્મથી ચઢે છે;... આંગળીથી (પણ ) નથી ચઢતા. અરે... રે! એ ચશ્માં નાકના આધારે રહ્યાં છે, એવી પરની અપેક્ષા નથી.
અમારી પાસે ચર્ચા કરવા લીંબડીમાં એક દેરાવાસી (શ્વેતાંબર ) સાધુ આવ્યા હતા. મેં કીધું (કેઃ ) અમે કોઈ સાથે ચર્ચા-વાદ તો કરતા નથી, ભાઈ ! આ વાત એવી કોઈ છે કે, એમ કોઈ વાદ-વિવાદે મળે (તેમ નથી). પછી જરા ઊઠતી વખતે બોલ્યા કે ‘લ્યો! આ ચશ્માં વિના જાણવામાં આવે છે?’ (મેં ) કીધું: થઈ ગઈ ચર્ચા, ભાઈ !
‘નિયમસાર ’ માં તો કુંદકુંદાચાર્ય પ્રભુ કહે છેઃ પ્રભુ! સ્વસમય અને પ૨સમય સાથે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com