Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 343
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩): પ્રવચન નવનીત ભાગ-૧ અંદરમાં ચૈતન્યભગવાન, સાક્ષાત પરમાત્મા છે;તે) “પર્યાયરૂપે' નથી. આહા... હા! શક્તિરૂપ શાશ્વત પરમાત્મા, ભગવાનસ્વરૂપ આત્મા-એ ચીજ, એ દ્રવ્ય “મોક્ષના કારણરૂપ જે ક્રિયા' તેરૂપ નથી. “તે-રૂપ ” તો પર્યાય છે. આહા.. હા.. હા! (છતાં, એક વિદ્વાન) એમ કહે છે કેઃ શુભભાવ વખતે દ્રવ્ય શુભ થઈ જાય, અને અશુભ (ભાવ) વખતે (અશુભ થઈ જાય છે). “પ્રવચનસાર” માં તન્મય કહ્યું છે ને...! “શુભ વખતે શુભમાં તન્મય છે.” પણ એ તો પર્યાય તન્મય છે. દ્રવ્ય તન્મય છે જ નહીં. સમજાણું કાંઈ? (ગાથા) છે ને...! “નાવો પરિણમઃિ નવી સુહેબ સુહેબ વી સુહો સમુદો સુધેનુ તા સુબ્રો વરિ હિ પરિપITHભાવો” ૧TT એ રીતે પરિણામ રાગમાં તન્મય છે, દ્રવ્યમાં તન્મય નથી. અહીં તો શુભ, અશુભ અને શુદ્ધ ત્રણેય બોલ લીધા (છે). શુદ્ધ એટલે મોક્ષનો માર્ગ શુભ-અશુભ એટલે બંધનો માર્ગ છે? “શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધ પ્રણમતાં શુદ્ધ પરિણામસ્વભાવી હોઈ ને” મહાએ તો પર્યાયની વાત કરે છે. એમ કે: શુભ થાય છે કોઈ (બીજા) માં, અને પરિણામ કોઈ ભિન્ન છે, એમ નથી. એ શુભ પરિણામમાં પરિણામ તન્મય છે. અશુભમાં પણ (પરિણામ) તન્મય છે. અને શુદ્ધપરિણતિમાં પર્યાય તન્મય છે. દ્રવ્ય તો ભિન્ન છે. એ આત્માની પર્યાયની વાત કરી. જિજ્ઞાસાઃ આપ કહો છો “પર્યાયની વાત છે ? સમાધાન: એ વાત અહીં (પાઠમાં) છે! આ શું કહે છે? કે શુભ પ્રણમતાં.. અશુભ પ્રણમતા.. શુદ્ધ પ્રણમતાં. પાઠ છે ને..! “સુદ્દે સુદ્ધો વ િદિ પરિણામભાવો'” પરિણમતાં- એ પર્યાય તન્મય છે. એ પર્યાય આત્મામાં તન્મય એટલે પર્યાયમાં (આત્મા) તન્મય, એમ ! આમાંથી (એવું) કાઢે છે (કે.) “આત્મા શુભ વખતે આખો શુભ થઈ જાય છે.' (પરંતુ એમ અર્થ નથી). અરે પ્રભુ! એ દ્રવ્ય તો મુક્તસ્વરૂપ, ત્રિકાળ શુદ્ધકંદ આત્મા છે! આહા.. હા! ઝીણી વાત, ભાઈ ! લોકોને બહારની પ્રવૃત્તિમાં એવા દોરી દીધા કે બિચારા એમ માની બેઠા કે બે પડિમા લીધી ને ચાર પડિમા લીધી....! સમકિતનાં તો ઠેકાણાં ન મળે. વ્યવહારશ્રદ્ધાનાં પણ ઠેકાણાં ન મળે ! અરે. રે! એમાં (બાહ્ય ત્યાગમાં) ચઢાવી દીધા ને એ ચઢી ગયા (કેટ) અમે પડિમાધારી છીએ ! અમે અગિયાર પડિમાધારી છીએ! (પણ સમકિત વિના, એ પડિમા શેની? ) આહા... હા ! અહીં તો કહે છે કેઃ એ પડિમાનો ભાવ છે એ તો વિકલ્પ છે. મુનિના પંચ મહાવ્રતના ભાવ, એ પણ વિકલ્પ-રાગ છે. એ રાગરૂપે તો ભગવાન આત્મા ત્રિકાળ નથી. પણ રાગરહિત (જે) વીતરાગી મોક્ષમાર્ગની પર્યાય; તે રૂપે (પણ) દ્રવ્ય નથી. “એ-રૂપે” તો પર્યાય છે. આહા.... હા ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357