________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪: પ્રવચન નવનીત ભાગ-૧ ચારિત્ર નાશ પામશે નહીં એમ નથી; કેમકે અમે પંચમ આરામાં છીએ, (તેથી) અમારે સ્વર્ગમાં જવું પડશે. કારણ કે અમને (અત્યારે) કેવળજ્ઞાન છે નહીં. અમારા પુરુષાર્થમાં કમી છે; એ કાળના કારણે નહીં. અહીંથી તો સ્વર્ગમાં જવું પડશે તેથી ચારિત્રથી તો રહિત થશું. ચારિત્ર અપ્રતિત નથી, એમ કહ્યું.
ચારિત્રપાહુડ' માં પર્યાયના બે બોલ છે ને...! પર્યાય “અક્ષય” અને “અમેય'! દ્રવ્ય-ગુણની તો વાત ક્યાં કરવી?! આહા... હા ! દ્રવ્યનો જ્યાં અનુભવ-દષ્ટિ થઈ, (અર્થાત્ ) “હું પૂર્ણાનંદ પ્રભુ, અભેદ-અખંડ આનંદ છુંએવી જ્યાં દષ્ટિ થઈ તો કહે છે કે ચારિત્રવંતને (તે) પર્યાય અક્ષય છે અને અમેય છે. નહીંતર (સ્વર્ગમાં તો) ચારિત્ર છૂટી જશે. તોપણ અમે ચારિત્ર બીજા ભવામાં લેશું, લેશું ને લેશું અને બીજા ભવમાં પૂર્ણ કરીશું. આહા... હા! અમે પંચમ આરાના સાધુ છીએ... (પણ ખરેખર) અમે પંચમ આરાના નહીં, અમે તો અમારા આત્માના છીએ. અમને આરો નડતો નથી. ચારિત્રનો અધિકાર લીધો છે ત્યાં ચારિત્રની પર્યાયને અક્ષય અને અમેય (કહી છે). પર્યાયમાં મર્યાદા નહીં, એટલી તાકાત પર્યાયમાં છે !
અનંત ગુણની પર્યાયમાં એક એક પર્યાય એટલી તાકાતવાળી છે કે અનંત ગુણને જાણે, અનંત પર્યાયને જાણે–તેવી જ્ઞાનની એક પર્યાયની તાકાત ! શ્રદ્ધાની એવી તાકાત! ચારિત્રની એવી તાકાત! અસ્તિત્વ-વસ્તુત્વ-પ્રમેયત્વ-અગુરુલઘુત્ર આદિ દરેક પર્યાયની એવી તાકાતએટલી તાકાત ! આહા... હા! સમજાણું કાંઈ ?
એ પર્યાય તો એમ કહે છે કે “અમારે હવે મિથ્યાત્વનો અંકુર ઉત્પન્ન નહીં થાય. (પણ) પ્રભુ! તમે ભગવાન પાસે ગયા નથી.... અને તમે એટલું કહ્યું ! તમે મહાવ્રતધારી છો ને... તમે એટલું કહી દો છો ! (સાધક કહે છે:) અમારો નાથ એમ પોકાર કરે છે... અમારો પ્રભુ પોકાર કરે છે–પ્રભુ એમ કહે છે કે અમને મિથ્યાત્વ હવેથી કદી થશે નહીં.
આહા... હા! આ “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવામાં એ દર્શન (-શ્રદ્ધા) નો નિર્ણય થયો તો નિર્મળ પરિણામ પોતાનાં થયાં-એ નિર્મળ-સમ્યક પરિણામ હવે નહીં પડે. સમજાણું?
આવી વાત કોઈ દિવસ-આટલા વર્ષમાં સાંભળી પણ નહિ હોય! સાંભળવા જાય (ત્યાં સાંભળવા મળે કે:) દયા કરો ને વ્રત કરો ને મંદિર બનાવો ! એક દિવસ આ મંદિરની પાસે કહ્યું હતું. એ તો જે સમયે જે પર્યાય જડની થવાવાળી હશે તે થશે, થશે ને થશે. બીજો કરે (તો થાય) અને બીજો ન કરે તો ન થાય, એમ નથી. એ અહીં આવ્યું
એ પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે. “જીવ જ છે' એમાં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com