Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 348
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૨૦: ૩૩૫ ૫રમેશ્વર, અનંત તીર્થંકરો-જિનેશ્વરો આમ ફરમાવે છે! શું? કે- ‘હું યોગી!' આહા.. હા! સંબોધન તો (જુઓ )! ( પાઠમાં) “ નોયા” શબ્દ છે ને! ‘જોગી. ’જોગી એટલે આ ‘બાવા’ એ ‘જોગી ' નહીં. પણ જેણે ) અંતર આનંદ (સ્વરૂપ ) ને ધ્યેય બનાવીને, (એમાં ) યોગનું જોડાણ કરી દીધું, અર્થાત્ નિર્મળ વીતરાગી પર્યાયને ધ્રુવ સાથે જોડાણ કરી-એ ‘યોગી.’ આહા.. હા ! ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ; એને (જેણે ) વર્તમાનપર્યાય (માં ) વીતરાગપર્યાયથી જોડી દીધો- એ ‘યોગી'. સમકિતી પણ જઘન્ય યોગી કહેવામાં આવે છે. સંત (મુનિ ) ઉત્કૃષ્ટ યોગી છે. અંદર પૂર્ણાનંદનો નાથ આત્મા, આનંદનો રસકંદ પ્રભુ, પરમાત્મસ્વરૂપ જ છે. નિશ્ચયથી આત્મા અને પરમાત્મસ્વરૂપ એક જ છે. જે સમતિનું ધ્યેય છે. એ વસ્તુ (સાથે જેણે જોડાણ કર્યું, તેને કહે છે) ‘હું યોગી!' યોગીને કહે છે; અજ્ઞાનીને નહીં. સમકિતી આદિ યોગી કહેવામાં આવે છે કે જેણે પોતાની વીતરાગી સમ્યગ્દર્શનની પર્યાયને દ્રવ્ય સાથે જોડી દીધી છે. (તેને કહે છેઃ ) “હું યોગી! ૫રમાર્થે જીવ ઊપજતો પણ નથી” ( અર્થાત્ ) ભગવાન આત્મા ૫રમાર્થથી જન્મતો જ નથી ત્રિકાળી ભગવાન તો જન્મતો જ નથી. અને ભગવાન ધ્રુવ ચિદાનંદ પ્રભુ, પરમાત્મસ્વરૂપ, જે સમ્યગ્દર્શનનું ધ્યેય છે, એ કદી “મરતો પણ નથી.” આહા... હા.. હા ! આવી વાત !! ગૃહસ્થાશ્રમમાં પણ સમ્યગ્દષ્ટિ હોય છે, એ મોક્ષમાર્ગી છે! “ “ गृहस्थो मोक्षमार्गस्थो ‘રત્નકાંડશ્રાવકાચાર. ’ ભલે ગૃહસ્થાશ્રમમાં હોય પણ જેણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણની પર્યાયને દ્રવ્ય સાથે જોડી દીધી છે, તે યોગી છે, ભલે જઘન્ય યોગી છે. ' અહીંયાં તો ઉત્કૃષ્ટ યોગીની વાત વિશેષ કહે છે- ‘હૈ સંત!' કુંદકુંદ આચાર્ય તો ‘ ભાવપાહુડ ’ માં એમ કહે છે કેઃ ‘હું મિત્ર!' ‘હું મહાશય !' આહા.. હા! કુંદકુંદ આચાર્ય (કહે છે– ) હું મિત્ર ! તારી ચીજ તો ૫૨માત્મસ્વરૂપ છે ને... ભગવાન! એ ચીજ ઉ૫૨ તું જોડાણ કરી દે! તેં (જે) રાગ ને પુણ્ય ને દયા-દાનમાં જોડાણ કરી રાખ્યું છે તે તો મિથ્યાત્વ છે. આહા... હા! આવી વાતો છે!! 66 પ્રભુ! એને ( ભગવાનઆત્માને) એકવાર ધ્યેય બનાવ કે જેમાં જન્મ નથી, જેમાં મરણ ( નથી અને (જે) “ બંધ-મોક્ષ કરતો નથી.” આહા.. હા! એ ભગવાન પૂર્ણાનંદનો નાથ, જે સમ્યગ્દર્શનનો વિષય; એ તો બંધ-મોક્ષને પણ કરતો નથી. કેમકે, ‘બંધ-મોક્ષ ’ તે પરિણામ છે. (એ ) પરિણામને પરિણામી-ત્રિકાળી કરતો નથી. આહા.. હા.. હા વિષય એવો આવ્યો છે, પ્રભુ ! હવે આ (પ્રવચન) છેલ્લું છે. ‘ પરમાત્મપ્રકાશ' ગાથા-૬૪: 66 'ण वि उपज्जइ ण वि मरइ बंधु ण मोक्खु करेइ । નિઃ परमत्थे जोइया जिणवर एउ મળે ( ગાથાર્થ:- ) “ હું યોગી! ૫રમાર્થથી જીવ ઉત્પન્ન થતો નથી,” જન્મતો નથી. 17 Please inform us of any errors on rajesh@AtmaDharma.com י

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357