________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬: પ્રવચન નવનીત ભાગ-૧ આનંદનો કંદ; અને રાગ વચ્ચે સંધિ છે. (આત્મામાં) અખંડાનંદનાં (પડ) સપાટ એકલાં ભર્યા છે. એ “કારણપર્યાય. કહ્યું હતું ને...! “કારણપર્યાય” થી આખી સપાટી ત્રિકાળ ભરી પડી છે. આહા. હા. હા! રાગ ભિન્ન છે. “રાગ તદ્દન ભિન્ન છે. અને આ ‘(કારણ ) પર્યાય” ભિન્ન
આહા. હા! એવા દ્રવ્યની સ્થિતિ, એ તો શક્તિરૂપ મોક્ષ છે. અહીંયાં એ (કારણપર્યાયની) વાત નથી ચાલતી. (અહીં તો જ) શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે; (એની વાત ચાલે છે). તે તો પ્રથમથી જ વિદ્યમાન છે. એ તો અનાદિથી (જ) વિધમાન છે! આહા.. હા ! (જેમ) એ પથરાની અંદરની સપાટીને સુંવાળી કરવી પડતી નથી, એ તો જ્યારથી પથ્થર ઉત્પન્ન થયો ત્યારથી (સુંવાળી) સપાટી સહિત જ અંદર છે. એમ ભગવાન આત્મા એ તો પૂર્ણ શુદ્ધ શક્તિરૂપ, સ્વભાવરૂપ, ભાવરૂપ, પૂર્ણશક્તિ (રૂપ) મોક્ષસ્વરૂપ જ છે. એટલે કે શુદ્ધ પારિણામિક સ્વભાવભાવ તો અનાદિનો વિધમાન જ છે; એને (સ્વભાવને) પ્રગટ કરવો છે, અને (મલિન) દશાનો નાશ કરવો છે અને આ (પવિત્ર દશા) ને પ્રગટ કરવી છે–એમ નથી ! આહા.. હા !
અહીં તો વ્યકિતરૂપ મોક્ષનો વિચાર ચાલે છે. (અર્થાત્ ) જે એક સમયની પર્યાયમાં અનંત કેવળજ્ઞાન, અનંત આનંદ, જે પ્રગટરૂપ-વ્યક્ત (રૂપ) મોક્ષ છે; એની વાત ચાલી રહી
એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે.” ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર, વર્તમાનમાં (મહાવિદેહમાં) બિરાજે છે. (એમનો) દિવ્યધ્વનિ- “મુખ' કાર ધુનિ સુનિ, અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશ” – ગણધરો એમાંથી અગમની રચના કરે છે. “ભવિક જીવ સંશય નિવારે.” (અર્થાત) “એ રાગ મારો છે” એવો જે સંશય છે, એને પાત્ર જીવ-યોગ્ય જીવભવ્યપ્રાણી દૂર કરે છે. “રાગ” અને “હું” તન્ન ભિન્ન છું (-એવી પ્રતીતિ અને અનુભવ કરે છે).
જિજ્ઞાસાઃ વિકારી દ્રવ્યમાં રાગ નથી તો રાગ ક્યાં રહ્યો?
સમાધાન: દ્રવ્ય વિકારી છે જ નહીં. પર્યાય વિકારી છે, દ્રવ્ય, ત્રણ કાળમાં ક્યારેય વિકારી થયું જ નથી. (શ્રોતા:) ત્રણ કાળમાં અંદર નથી, તો ચિંતા શેની? (ઉત્તર) દ્રવ્યમાં (નથી); ચિંતા તો પર્યાયમાં છે; એને ટાળવી છે, એની વાત છે. એ પણ કહે છે:
પ્રવચનસાર” માં આવે છે ને..! કે: શુભ પરિણામ વખતે (દ્રવ્ય) શુભ થાય છે, અશુભ વખતે અશુભ અને શુદ્ધ વખતે શુદ્ધ. તો એમાંથી (કોઈ વિદ્વાન એવો અર્થ) કાઢે છે કે: અશુભ વખતે “દ્રવ્ય” અશુભ થઈ જાય છે; શુભ વખતે દ્રવ્ય” શુભ થઈ જાય છે. પરંતુ એવું નથી ! દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ જ છે. શુભ, અશુભ અશુદ્ધ પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં તન્મયતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com