________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૪૧ આકરી વાત છે, ભાઈ ! પહેલાં મૂળ ચીજ (નું ભાન થવું એ) કઠણ છે. પછી સ્વરૂપમાં રમણતા થાય. આત્માના આનંદનું ભાન થયું પછી સ્વરૂપમાં રમણતા, આનંદમાં રમણતા થાય એ ચારિત્ર છે. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ ને મહાવ્રત ને નગ્નપણે એ ચારિત્ર નથી.
(અહીં) આ તો પહેલીવહેલી (ચોથા ગુણસ્થાનની) દશામાં કહે છે કે બંધમોક્ષનાં કારણ અને પરિણામ (બંધરૂપ પરિણામ અને મોક્ષરૂપ પરિણામ) એનો પણ કર્તાભોકતા આત્મા નથી. બહુ ટૂંકામાં શબ્દ લીધા છે.
બંધ-મોક્ષના (કારણનો કર્તા-ભોકતા આત્મા નથી). મોક્ષના કારણ “સમ્પર્શનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા : ” એ સાચી પર્યાય છે, એનો પણ કર્તા-ભોકતા આત્મા નથી. કારણ કે તે પર્યાય છે; દ્રવ્ય (એની) કર્તા નથી; પર્યાયનો કર્તા પર્યાય છે. અને મોક્ષનું કારણ મોક્ષમાર્ગ –એનો-પર્યાયનો પણ કર્તા” દ્રવ્ય-વસ્તુ જે શુદ્ધચૈતન્યધન છે (તે) નથી.
અરે.... રે! એ તો નહિ પણ “બંધ-મોક્ષનાં પરિણામ” (પણ વસ્તુમાં નથી). પહેલાં જે “બંધ-મોક્ષનું કારણ” કહ્યું હતું, હવે “બંધ-મોક્ષનાં પરિણામ.' એ કારણનું કાર્ય જે ભાવબંધ; અને કારણ મોક્ષમાર્ગનું કાર્ય મોક્ષ એ બંધ-મોક્ષરૂપ પરિણામ (વસ્તુમાં નથી). પહેલાં બંધમોક્ષનાં કારણનો નિષેધ કર્યો હતો).
આહા. હા! વીતરાગનો માર્ગ !! આ ચીજ કોઈ અલૌકિક છે. કહે છે કે પહેલાં સમ્યગ્દર્શનની શરૂઆમાં પણ નિર્વિકલ્પ આનંદનો નાથ પ્રભુ, દ્રવ્યસ્વભાવ જે વસ્તુ છે, જે સમ્યગ્દર્શનનો વિષય ધ્યેય છે-એ ચીજ તો મોક્ષની પર્યાયનો પણ કર્તા નથી. આહા... હા! એ વસ્તુ ત્રિકાળી આનંદના નાથનો દષ્ટિમાં સ્વીકાર થયો-એ દષ્ટિ સમ્યગ્દર્શન; પણ એ સમ્યગ્દર્શનની પર્યાયનો પણ કર્તા દ્રવ્ય નથી. આહા. હા! એવો માર્ગ છે!
જિજ્ઞાસા: આ શિક્ષણશિબિર આ વાત કહેવા માટે કરી છે?
સમાધાનઃ (લોકો) આવ્યા છે તો આ લીધું –વાત સાચી છે. આ (વાત) તો ૪૫ વર્ષથી ચાલે છે. સંપ્રદાય છોડીને ૪૫ ચોમાસાં અહીં થયાં. શિબિરનીય સંખ્યા પણ ઘણી (થઈ ), ઘણાં વર્ષોથી ચાલે છે. (શ્રોતા) આપની કરુણા છે. (ઉત્તર) (શિબિર) ચાલે છે એ તો પ્રમુખ કરે છે. અમે તો કાંઈ (કરતા નથી.) પ્રમુખ કરે છે એમ કહેવું, એ પણ નિમિત્તથી (કથન છે.) બહારની પર્યાયને કોણ કરે? શિક્ષણશિબિરમાં સમજાવવું.. અરે પ્રભુ! એ કોણ કરે ! આકરી વાત છે, પ્રભુ! એ ભાષા છે એ તો જડની છે. ભાષા સમજાવવામાં નિમિત્ત છે અને ભાષા છે તો એને સમજવાથી જ્ઞાન થયું એવું પણ નથી. આહી... હા ! સૂક્ષ્મ વાત છે, ભાઈ !
અહીં તો (આત્મા) બંધ-મોક્ષનાં પરિણામના અભાવરૂપ છે. બંધ-મોક્ષના કારણના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com