________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮ : પ્રવચન નવનીત ભાગ-૧
(અહીં કહ્યું: ) ગુણ વિના જ પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયનું સૂક્ષ્મત, પર્યાયનું કારણ છે; દ્રવ્ય-ગુણ નહીં. અર્થાત્ પર્યાયનું સૂક્ષ્મત, પર્યાયનું કારણ (છે); દ્રવ્યનું સૂક્ષ્મત્વ કારણ નથી. પર્યાયનું વીર્ય, પર્યાયનું કારણ છે. પર્યાયમાં વીર્ય છે, શકિત છે, તે વીર્યશકિત પર્યાયનું કારણ છે. એ પર્યાયનું વીર્ય, પર્યાયનું કારણ છે. આ ‘ચિવિલાસ' દીપચંદજી કૃત છે. દીપચંદજી અનુભવી છે!
(અધ્યાત્મ) પંચસંગ્રહ'માં દીપચંદજી તો એવું કહી ગયા કે : અરેરે! દુનિયાને જોઉ છું તો લોકોમાં) આગમની શ્રદ્ધા દેખાતી નથી. ભલે સાધુ દેખાય, પણ આગમની શ્રદ્ધાના ઠેકાણાં નથી. જો હું મોઢેથી કહેવા જાઉ છું તો સાંભળતા નથી. (તેથી) હું લખી જાઉ છું. તે કાળમાં પણ આગમની યથાર્થ શ્રદ્ધાવાળાં ન મળ્યાં.
આહા..હા..હા! અહીં કહે છે : પર્યાયનું વીર્ય, પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ, પર્યાયનું કારણ છે. જીવના પ્રદેશ એ ધ્રુવ છે, એ (વાત અહીં) નથી. પર્યાયનો જે પ્રદેશ છે એ (પર્યાયનાં) પ્રદેશ કારણ છે, સમજાય છે કાંઈ ? પછી તો લીધું છે કે : અથવા ઉત્પાદ-વ્યય કારણ છે અને પર્યાય કાર્ય છે. માટે તે પર્યાયનું કારણ છે અને પર્યાય તેનું કાર્ય છે. પણ તેનું તે.
અહીંયાં કહ્યું કે : તે પર્યાય શુદ્ધપારિણામિકલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે? – ભાવનારૂપ હોવાથી. એ કાંઈ ત્રિકાળી દ્રવ્ય નથી. (તેથી) મોક્ષમાર્ગની પર્યાય ભાવનારૂપ હોવાથી (તે શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે ).
વિશેષ કહેશે.
*
*
*
[ પ્રવચન : તા.૫-૮-૭૯ ]
સમયસાર” ૩૨૦ - ગાથામાં વિષય સૂક્ષ્મ છે. અહીં તો નિશ્ચય – અધિકાર ચાલે છે. પણ નિશ્ચય – અધિકારમાં વ્યવહાર ગમે તેવો હોય, એવી વાત નથી. નિશ્ચયમાં તો ભગવાનનો વિનય કરવો તે પણ શુભભાવ (છે). આ પુસ્તક (શાસ્ત્રજી ) છે; (એને) નીચે ન મુકાય.
એનાથી પવન ન ખવાય. એનો ટેકો ન લેવાય. એના ઉપર હાથ મૂકીને આમ ન કરાય. નિશ્ચય એકલું કરવા જાય ત્યાં એ વ્યવહાર ભૂલી જાય, એ તો અજ્ઞાન છે.
સ્થાનકવાસીમાં (તો) “શાસ્ત્રનો વિનય' એવો કોઈ વ્યવહાર નથી. રાજકોટમાં એક સ્થાનકવાસી સાધુ હતા, એ તો શાસ્ત્રને માથા નીચે મૂકીને સૂએ! ભાઈ ! એમ ન હોય. આ તો ભગવાનની વાણી છે. એની વાણી (પ્રત્યે) વિવેક જોઈએ.
નિશ્ચય એકદમ ચાલે માટે “આ વ્યવહાર' ભૂલી જવો, એવું નથી. ખરેખર તો સભામાં, વ્યાખ્યાન સાંભળવામાં, પગ ઉપર પગ ચડાવવો નહીં. પવન ખાવો નહીં. એથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com