Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 324
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨ઃ પ્રવચન નવનીત ભાગ-૧ માટે આમ સિદ્ધ થયું કેઃ શુદ્ધ પારિણામિકભાવની ભાવના” એટલે અવલંબન લેનારી ભાવના” તે–રૂપ ઔપશમિકાદિ ત્રણ ભાવ (મોક્ષનો માર્ગ છે.) શુદ્ધ સ્વભાવ, નિત્યાનંદ પ્રભુએનું અવલંબન લઈને (એટલે કે, દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ એના નથી, એ તો બંધનું કારણ (છે), ઝેર છે. એનું અવલંબન (છોડી) અને અંદર ત્રિકાળી ભગવાન જ્ઞાયકસ્વભાવનું અવલંબન લઈને જે ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિકભાવ પ્રગટ થયો-એ ધર્મ, એ સમક્તિ, એ જ્ઞાન, એ ચરિત્ર, એ વીતરાગતા, એ મોક્ષનો માર્ગ (છે). ( એને) શુદ્ધપારિણામિકભાવવિષયક અવલંબનારી ભાવના, તે-રૂપ “ભાવના” કહો કે “મોક્ષનો માર્ગ કહો. (એકાર્થ છે ). ભાવના અર્થાત્ વિકલ્પ અને ચિંત્વન એ ભાવના નથી. આહા... હા ! સમજાય છે કાંઈ ? નિયમસાર” માં પ્રાયશ્ચિત અધિકારમાં ચિંત્વનને પણ ભાવના કહી છે. એ “ચિંતન' વિકલ્પ નથી. “ચિંત્વન” ને પણ (ત્યાં) નિર્વિકલ્પ ધ્યાન કહ્યું છે. એ (બાહ્ય) ચિંતન-વિકલ્પ, એ (“ભાવના”) નથી. (પરંત) અંદર આનંદનો નાથ પ્રભુ એનો જેણે પર્યાયમાં ભેટો કર્યો અને વર્તમાન પર્યાયમાં દ્રવ્ય તરફ ઝૂકવાનું થયું તો તે “ભાવના' છે. તે ઉપશમ-ક્ષયોપશમક્ષાયિકરૂપી ભાવ છે. અને ત્રિકાળી છે, તે પરમપરિણામિક ભાવ છે ! આહા... હા! ત્રિકાળી જે અવલંબન લેવાની ચીજ છે, જેને ધ્યય-ધ્રુવના ધામનું ધ્યેય બનાવીને અર્થાત્ એકવાર ધ્રુવધામને ધ્યેય બનાવીને ધીરજથી ધ્યાન કરવું એ “ (ધ્રુવધામના ધ્ધના–ધ્યાનથી ધખતી ધૂણી ધગશને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે).” – ૧૩ બોલ “આત્મધર્મ” માં આવી ગયા છે. એ ભાવનગરમાં રચ્યા હતા. વ્યાખ્યાનમાં આવી ગયા છે. આહા... હા ! ધ્રુવધામ-નિત્યરૂપી જેનું ધ્રુવસ્થાન, એને ધ્યેય બનાવીને ધીરજથી ધખતી ધૂણી ધખાવ પર્યાયમાં! એ ધખતી ધૂણી ધીરજથી એકાગ્ર થઈને ધખાવ! આહા.. હા ! એ ધર્મ ધુરંધર ધર્મી છે! બધા ધધ્ધા છે. ૧૩ ધધ્ધા છે. આહા... હા ! ધ્રુવ જે ચિદાનંદના ધામને ધ્યેય બનાવીને, ધીરજથી ધખતી ધૂણી ધખાવ પર્યાયમાં! એ ધખતી ધૂણી ધીરજથી એકાગ્ર થઈને ધખાવ! આહા.. હા! એ ધર્મ ધૂરંધર ધર્મી છે! બધા ધધ્ધા છે. ૧૩ ધધ્ધા છે. આહા.. હા! ધ્રુવ જે ચિદાનંદના ધામને ધ્યેય બનાવીને, ધીરજથી એ અંદર ધખતી એટલે સ્વરૂપની એકાગ્રતારૂપી શાંતિથી ધખતી પેઢી, ધખતી- ધખતી ધૂણી એ પરમવિષયક પરમ પદાર્થને અવલંબનારી પર્યાય, એને ભાવના અને (મોક્ષમાર્ગની) પર્યાય કહેવામાં આવે છે. મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. તો “એ પર્યાય' કથંચિત્ ભિન્ન કેમ? કે: “એ પર્યાય' નો નાશ થાય છે. (કેમકે) મોક્ષ થાય છે ત્યારે એ (મોક્ષમાર્ગની) પર્યાય રહેતી નથી. અને અવિનાશી ભગવાન (આત્મા) તો કાયમ રહે છે ! આહા. હા! બહુ ઝીણી વસ્તુ! ગાથા એવી છે આ !! એ શુદ્ધપારિણામિકભાવની ભાવના તે-રૂપ જે ઔપથમિક આદિ ત્રણ ભાવ-એ ભાવના” ને ત્રણ ભાવ કહ્યા. જે પરમ સ્વભાવ, ધ્રુવ, નિત્યાનંદ પ્રભુનું અવલંબન લઈને જે ભાવ એટલે નિર્મળ પર્યાય, નિર્વિકલ્પ આનંદની દશા પ્રગટ થઈ, એ દશાને ઉપશમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357