________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨ : પ્રવચન નવનીત ભાગ-૧ છે. તારા નરકનાં દુઃખહું કેવી રીતે કહું? એ વેદન..એ દુઃખની વ્યાખ્યા (કરવાની) એવી તાકાત મારી વાણીમાં નથી. અહીં જરી ગરમ હવા આવે તો ઠીક પડે નહીં ભાઈ સાહેબને! અને ત્યાં તો, એવી ગરમ હવાથી, અનંત ગુણી ગરમી પહેલી નરકમાં છે. લુહારના જુવાન છોકરાએ લાખ મણના લોઢાના ગોળાને, છ મહિના સુધી ટીપી ટીપીને મજબૂત કર્યો હોય, એવા લાખ મણના ગોળાને (જો) ત્યાં મૂકે, તો તે પાણીની જેમ ઓગળી જાય એટલી તો ત્યાં ગરમી છે, પ્રભુ!
જિજ્ઞાસા: આપ યાદ અપાવો છો. અમને તો યાદ આવતું નથી !
સમાધાન: એ તો કહ્યું હતું ને . આપણે વાદિરાજનું, વાદિરાજમુનિ ભાવલિંગી સંત, આત્માનુભવમાં આનંદમાં રમતા હતા). શરીરમાં કોઢ આવ્યો. રાજાએ શ્રાવકને કહ્યું કે : અમે કેટલા રૂપાળા અને પુણ્યવંત છીએ! અને તારા ગુરુને તો કોઢ છે. તારા ગુરુ કોઢવાળા છે! (ત્યારે) શ્રાવકે કહ્યું : અન્નદાતા ! મારા ગુરુને કોઢ નથી. (શ્રોતા:) જૂઠું કહી દીધું? (ઉત્તર) આ જુઠું નથી. એ રાજા (પોતાનો ) મહિમા કરતો હતો કે : અમારું શરીર રૂપાળું છે ને આમ છે ને તેમ છે. એટલા માટે તેનો મહિમા તોડી નાખ્યો. અને કહ્યું : દરબાર! શાંત રહો. મારા ગુરુને કોઢ નથી! એણે આવીને (ગુરુને) વાત કરી (કે) પ્રભુ! મે તો મોટા દરબાર પાસે આવું કહ્યું છે કે : “મારા ગુરુને કોઢ નથી.' (પણ) પ્રભુ ! કોઢ તો છે. મુનિરાજ કહે છે કે : શાંતિ રાખો, ભાઈ ! બધું ઠીક થશે. જૈનશાસનનો - ધર્મનો પ્રતાપ છે. તમે જેમ બોલ્યા તેમ થશે. પછી પ્રભુની સ્તુતિ કરતાં કરતાં (મુનિરાજે કહ્યું:) હે નાથ ! હું પૂર્વના દુ:ખને યાદ કરું છું, પૂર્વનાં દુ:ખ સ્મરણમાં આવે છે તો છરા વાગે છે. આયુધના ઘા વાગે છે. આત્મામાં ઘા વાગે છે. આહા...હા! મુનિરાજ ભાવલિંગી સંત છે. અલ્પકાળમાં મોક્ષ જવાવાળા છે. પંચ પરમેષ્ઠીમાં ભળ્યા છે. એ સંત, નાથને-પ્રભુને કહે છે : પ્રભુ! હું પૂર્વના, નરકનાં ને નિગોદનાં દુઃખ યાદ કરું છું, એની સ્મૃતિ જ્યારે આવે છે, તો ખ્યાલ આવે છે કે ત્યાં કેવું દુ:ખ હતું!
આહા...હા! આ તો ખ્યાલે ય ક્યાં! કાંઈ ખબર પણ ન મળે ! જડ જેવા! કાંઈ બે પાંચદશ કરોડ મળ્યા, એટલે થઈ રહ્યું...! એમ ફૂલીને ત્યાં ગરી ગયો.
આ તો મોટો રાજા. એને શ્રાવકે કહ્યું કે “મારા ગુરુને કોઢ નથી.” તું (એમ) જાણે કે તમારું આવું રૂપાળું શરીર અને બધું નિરોગી! અને અમારા ગુરુ રોગી ! તો (શાસન-) ભકિતના પ્રેમમાં (કહ્યું કે, “કોઢ છે જ નહીં.' (ત્યાંથી આવીને ) ગુરુ પાસે કહ્યું : પ્રભુ! હું તો આમ કહી આવ્યો છું. (ગુરુએ કહ્યું: ) શાંતિ રાખો, બાપુ! (મુનિરાજે જીવનમાં એમ કહ્યું ) ભગવાન! પ્રભુ! જ્યારે તમે માતાના ગર્ભમાં પધારો છો ત્યારે ગામમાં સોનાના ગઢ અને રતનના કાંગરા. નાથ ! ત્યારે તો આપની પધરામણી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com