________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમસાર ગાથા-૩ર) : ૨૮૫ “આ બધું હું કરું છું” એવું અભિમાન ઘણું. આખો દી આ કર્યું ને આ કર્યું... આ માલ આવ્યો ને આ લાવો. તો મેં એક વાર કહી દીધું કે “શું આ બધી હોળી! તમે મરીને પશુ થશો. આપણે વાણિયા છીએ એટલે માંસ-ઈંડા આદિના (ખોરાક) તો છે નહિ એટલે નરકમાં (તો) નહીં જઈએ. સંવત ૧૯૬૬ની વાત છે. કહ્યું હતું : “મરીને બાપુ! મનુષ્ય થશો, એમ મને લાગતું નથી. અને મરીને દેવ થશો, એમ પણ મને લાગતું નથી. તમારે માટે તો એક પશુ (ગતિ ) (જ) છે. રાડ નાખે, પણ (તે) કોઈ દી બોલે નહીં. “ભગત' છે, બોલે છે, કહેવા ઘો''. (એમ સાંભળી લેતા).
આહા..હા ! અહીં કહે છેઃ “પરકાળ' કોને કહેવો? – આ અવસર્પિણી, ઉત્સર્પિણી, દિવસ ને રાત્રિ- એ તો પરકાળ છે; એ નહીં. અહીં તો ત્રિકાળી ચીજ છે એ “સ્વકાળ'. અને એમાં એક સમયની પર્યાયનો ભેદ કરવો એ “પરકાળ'.
આવો માર્ગ છે, બાપા! વીતરાગ શાસન! વિવક્ષિત વાત-“પરકાળ' છે ને? નિર્વિકલ્પ અવસ્થા એટલે વસ્તુ..હોં! ત્રિકાળી. તે વસ્તુથી અવસ્થાન્તર આંતર-ભેદ અર્થાત્ એક સમયની પર્યાયનો ભેદ-એ “પરકાળ'.
હવે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શકિત, ભગવાન (આત્મા)ની અનંત ગુણ- શક્તિ, આત્મામાં અનંત ગુણ જે અનંત મુખ અને અનંત જીભથી ન કહેવાય એવા એટલા ગુણ એ બધા ગુણ-શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ-કલ્પના. (તેને “પરભાવ” કહેવાય છે ). અર્ધી ફેર એટલો પાડયો : અનેક અંશ દ્વારા ભેદકલ્પના અર્થાત્ એક ગુણની કલ્પના કરવી- એ ‘પરભાવ' છે. આહા.હા !
અરે....રે! વીતરાગનો મૂળ માર્ગ!! પરમાત્મા જિનેશ્વરદેવ એમણે શું કહ્યું- એની (લોકોને) હજી ખબર નથી ! તો પછી વસ્તુનું પરિણમન (તો કે દી થવાનું?) શું કહે છે? શું શૈલી છે! ( ગુણ-ભેદ-કલ્પના) એ “પરભાવ ”! (આહાહા! રાગ તો પરભાવ છે જ, અર્થાત્ દયા-દાન-વ્રતનાં પરિણામ એ તો પરભાવ છે જ; પણ આત્મા અનંત ગુણનો પિંડ છે, એમાં એક ગુણની (ભેદ) કલ્પના કરવી કે, “આ જ્ઞાન છે. આ દર્શન છે” – એ “પરભાવ' છે! આહા...! હા! રાજમલજીની ટીકા છે!
(શ્રોતાઃ) સોનગઢમાં એવાં જ શાસ્ત્ર છપાય છે?
(પૂ. ગુરુદેવશ્રી :) એ મને ખબર નથી કે આ (શાસ્ત્ર) કયાંથી છપાયું છે? અમને કંઈ ખબર નથી! અહીં તો ઉપદેશ સિવાય બીજાં શું થાય છે, તે દુનિયા જાણે. બાવીશ લાખ પુસ્તકો છપાયાં છે એ કોઈ કહે તો અમે સાંભળીએ. અમે કોઈને કંઈ કહેતા નથી- કરો કે છપાવો... કંઈ નહીં” બેનનું (પૂ. બહેનશ્રી ચંપાબેનનું) પુસ્તક “બહેનશ્રીનાં વચનામૃત' જ્યારે હાથમાં આવ્યું તો દેખીને ત્યારે કહ્યું હતું કે : “આ એક લાખ પુસ્તક છપાવો”. (એમ) આ પહેલું વહેલું કહ્યું. એ પુસ્તક તો અલૌકિક છે! એ સિવાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com