Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 297
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમસાર ગાથા-૩ર) : ૨૮૫ “આ બધું હું કરું છું” એવું અભિમાન ઘણું. આખો દી આ કર્યું ને આ કર્યું... આ માલ આવ્યો ને આ લાવો. તો મેં એક વાર કહી દીધું કે “શું આ બધી હોળી! તમે મરીને પશુ થશો. આપણે વાણિયા છીએ એટલે માંસ-ઈંડા આદિના (ખોરાક) તો છે નહિ એટલે નરકમાં (તો) નહીં જઈએ. સંવત ૧૯૬૬ની વાત છે. કહ્યું હતું : “મરીને બાપુ! મનુષ્ય થશો, એમ મને લાગતું નથી. અને મરીને દેવ થશો, એમ પણ મને લાગતું નથી. તમારે માટે તો એક પશુ (ગતિ ) (જ) છે. રાડ નાખે, પણ (તે) કોઈ દી બોલે નહીં. “ભગત' છે, બોલે છે, કહેવા ઘો''. (એમ સાંભળી લેતા). આહા..હા ! અહીં કહે છેઃ “પરકાળ' કોને કહેવો? – આ અવસર્પિણી, ઉત્સર્પિણી, દિવસ ને રાત્રિ- એ તો પરકાળ છે; એ નહીં. અહીં તો ત્રિકાળી ચીજ છે એ “સ્વકાળ'. અને એમાં એક સમયની પર્યાયનો ભેદ કરવો એ “પરકાળ'. આવો માર્ગ છે, બાપા! વીતરાગ શાસન! વિવક્ષિત વાત-“પરકાળ' છે ને? નિર્વિકલ્પ અવસ્થા એટલે વસ્તુ..હોં! ત્રિકાળી. તે વસ્તુથી અવસ્થાન્તર આંતર-ભેદ અર્થાત્ એક સમયની પર્યાયનો ભેદ-એ “પરકાળ'. હવે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શકિત, ભગવાન (આત્મા)ની અનંત ગુણ- શક્તિ, આત્મામાં અનંત ગુણ જે અનંત મુખ અને અનંત જીભથી ન કહેવાય એવા એટલા ગુણ એ બધા ગુણ-શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ-કલ્પના. (તેને “પરભાવ” કહેવાય છે ). અર્ધી ફેર એટલો પાડયો : અનેક અંશ દ્વારા ભેદકલ્પના અર્થાત્ એક ગુણની કલ્પના કરવી- એ ‘પરભાવ' છે. આહા.હા ! અરે....રે! વીતરાગનો મૂળ માર્ગ!! પરમાત્મા જિનેશ્વરદેવ એમણે શું કહ્યું- એની (લોકોને) હજી ખબર નથી ! તો પછી વસ્તુનું પરિણમન (તો કે દી થવાનું?) શું કહે છે? શું શૈલી છે! ( ગુણ-ભેદ-કલ્પના) એ “પરભાવ ”! (આહાહા! રાગ તો પરભાવ છે જ, અર્થાત્ દયા-દાન-વ્રતનાં પરિણામ એ તો પરભાવ છે જ; પણ આત્મા અનંત ગુણનો પિંડ છે, એમાં એક ગુણની (ભેદ) કલ્પના કરવી કે, “આ જ્ઞાન છે. આ દર્શન છે” – એ “પરભાવ' છે! આહા...! હા! રાજમલજીની ટીકા છે! (શ્રોતાઃ) સોનગઢમાં એવાં જ શાસ્ત્ર છપાય છે? (પૂ. ગુરુદેવશ્રી :) એ મને ખબર નથી કે આ (શાસ્ત્ર) કયાંથી છપાયું છે? અમને કંઈ ખબર નથી! અહીં તો ઉપદેશ સિવાય બીજાં શું થાય છે, તે દુનિયા જાણે. બાવીશ લાખ પુસ્તકો છપાયાં છે એ કોઈ કહે તો અમે સાંભળીએ. અમે કોઈને કંઈ કહેતા નથી- કરો કે છપાવો... કંઈ નહીં” બેનનું (પૂ. બહેનશ્રી ચંપાબેનનું) પુસ્તક “બહેનશ્રીનાં વચનામૃત' જ્યારે હાથમાં આવ્યું તો દેખીને ત્યારે કહ્યું હતું કે : “આ એક લાખ પુસ્તક છપાવો”. (એમ) આ પહેલું વહેલું કહ્યું. એ પુસ્તક તો અલૌકિક છે! એ સિવાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357