________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ઃ ૧૪૧ વાત આવી છે!! લોકોને બેસે (ક) ન બેસે...! (પણ) વસ્તુનું સ્વરૂપ જ આવે છે. વસ્તુ એવી છે!!
આત્મામાં અનંત ગુણ છે. અનંત ગુણમાં, એ બધા ગુણોની વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય, એવો પણ એમાં એક ગુણ છે. (તો) પર્યાય કરું તો થશે” એવી વાત નથી. એક વાત. અને (બીજી વાત ) એ “ભાવ” પર્યાય છે, એનો અભાવ થાય છે. તો “એ પર્યાયનો હું વ્યય કરું’ એમ પણ નથી. કારણ કે આત્મામાં એક ભાવ-અભાવ” નામનો ગુણ છે.
આહા... હા... હા! વીતરાગ-માર્ગ તો જુઓ! અહો.... હો ! ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવનો પંથ કોઈ જુદી જાતનો (છે)! ભાઈ ! દુનિયા સાથે કાંઈ મેળ ખાવો કઠણ છે. એટલે લોકો “સોનગઢ' નું એકાંત છે, એકાંત છે (-એમ કહે છે. તો કહો પ્રભુ! તું પણ પ્રભુ છો. સિદ્ધાંતમાં તો એવું લીધું છે કે સમકિતીને પર્યાયદષ્ટિ ઊડી ગઈ છે તો દ્રવ્યથી તો પરદ્રવ્ય એનો સાધર્મી છે. કારણ કે પોતાને પર્યાયદષ્ટિ ઊડી ગઈ (હોવાથી) (તે) બીજાની (પણ) પર્યાયને જોતા નથી. એનું (બીજાનું પણ) દ્રવ્ય પર્યાયરહિત છે. સમજાણું? દ્રવ્ય સાધર્મી છે. ભગવાન છે! પોતાને પર્યાયનું લક્ષ છૂટયું; પરની પર્યાયનું પણ લક્ષ છૂટ્યું. (તેથી તે) એનું દ્રવ્ય છે એને જુએ છે.
આહા... હા! અંદર ભગવાન સ્વરૂપ પરમાત્મા છે. ઉપરથી શરીર-રાગાદિ પરિણામ ગમે તે હો. પણ અંદર તો એનાથી ભિન્ન, ભગવાન છે! –એવી દષ્ટિ થયા વિના, ક્રમબદ્ધમાં ધર્મની નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી. સમજાણું કાંઈ ?
(જીવ) પોતાનાં પરિણામોથી ઊપજે છે. તો આ પરિણામ ક્યાં? કેઃ નિર્મળ લેવા. સાથે વિકાર થાય છે, પણ એનું જ્ઞાન થાય છે. એ ( નિર્મળ) પરિણામ (અહીં) એનાં (–સાધકનાં) લેવાં છે. (સાધકને ) પરિણામમાં વિકાર તો થાય છે પણ એ (વિકારી ) પરિણામ પોતાનાં નહીં. કારણ કે જ્યારે “ક્રમબદ્ધ' નો નિર્ણય થાય છે ત્યારે તો દષ્ટિ દ્રવ્ય ઉપર-જ્ઞાયક ઉપર પડે છે. જ્ઞાયકમાં કોઈ ગુણ વિકારી ન તો છે જ નહીં. અવિકારી અનંત ગુણનો પિંડ પ્રભુ છે! એ અનંત ગુણના પિંડનો જ્યાં સ્વીકાર થયો ત્યાં, પર્યાયમાં વિકાર થાય છે પણ તે પરિણામ પોતાનાં (સાઘકનાં) નથી. એનાથી રહિત, એ (નિર્મળ ) પરિણામ તે પોતાનાં છે. ક્રમસર થાય છે. થવાના હોય ત્યારે થાય છે. તો પણ પોતાના નિર્મળ પરિણામ તે પોતાના છે. જ્ઞાનીને પણ વિકારી અવસ્થા થાય છે; પણ એ પરિણામ પોતાના છે, એવું (અહીં) આવતું નથી.
વિકારી પરિણામ પણ ક્રમસર-કમબદ્ધ જ આવે છે. પણ તે જ સમયમાં વિકારથી રહિતક્રમબદ્ધનો નિર્ણય” – “દ્રવ્ય” નો નિર્ણય કહેવાય (છે). દ્રવ્યમાં તો અનંત ગુણ છે. તે અનંત ગુણ નિર્મળ છે. તો એ વિકારી અવસ્થાથી રહિત- “ક્રમબદ્ધનો નિર્ણય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com