________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮: પ્રવચન નવનીત ભાગ-૧ છે તે જ થવાવાળી છે. તે જ છે. પણ એ ભાવનો અભાવ-વર્તમાન છે એનો અભાવ-એવો એક ગુણ છે; એ ગુણના કારણે (એ જ) વર્તમાન પર્યાયનો ભાવ નહીં–એ અભાવનો ભાવ-એ કરવો ન પડે. “હું કરું” એવો વિકલ્પ નહીં. ઝીણી વાત છે, પ્રભુ! આહા... હા ! સમજાય છે કાંઈ ? જરી સૂક્ષ્મ (વિષય) છે.
આ તો અહીં “કમબદ્ધ' આવ્યું અને પછી બીજે ઠેકાણે “કમ-અક્રમ' છે (એમ આવ્યું). પણ એ કમ-અક્રમ “પર્યાય' ની વાત છે. તે “કમ' એક પછી એક થશે. એ “અક્રમે' થશે, એમ નથી. પર્યાયમાં એકસાથે રહેવાવાળી પર્યાયને “અક્રમ” કહે છે અને એકસાથે ન રહેવાવાળી પર્યાયને “ક્રમ' કહે છે. સમજાય છે કાંઈ ?
આત્મામાં ભાવ નામના બે ગુણ છે. એક ભાવગુણ એવો છે કે: પકારકથી પર્યાયમાં જે વિકારીભાવ ક્રમસરમાં થાય છે, તે વિકારી પર્યાયનું અભાવરૂપે પરિણમન થવું, તે ભાવગુણના કારણે (અર્થાત ) ભાવગુણનું કાર્ય છે.
અહીં તો અમારે “ક્રમબદ્ધ' માં નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એ સિદ્ધ કરવું છે. કેમકે આત્મામાં “ક્રમબદ્ધ' છે એવો નિર્ણય જ્યારે કરે છે, ત્યારે તો દષ્ટિ જ્ઞાયકસ્વરૂપ ઉપર હોય છે. જ્ઞાયકસ્વભાવમાં અનંત ગુણ છે. અનંતગુણમાં “ભાવ” નામના બે ગુણ છે. એક ભાવગુણનો અર્થ: જે સમયે જે પર્યાય થવાવાળી છે; તે ભાવ (ગુણ) ના કારણે થશે. એ ભાવ ( ગુણ ) નું રૂપ અનંત ગુણમાં છે. (એ) કારણે અનંત ગુણની પર્યાયો (જે સમયે જે થવાવાળી છે તે) થશે. એક વાત. બીજી વાતઃ પકારકથી પર્યાયમાં વિકાર થાય છે. તે કર્મથી નહીં; દ્રવ્ય-ગુણથી નહીં. પર્યાયમાં વિકાર પટકારકથી (એટલે કે) રાગ કર્તા, રાગ કાર્ય, રાગ સંપ્રદાન આદિ છે કારકથી (થાય છે). રાગ આદિ, દ્વેષ આદિ, વિષયવાસના આદિ (વિકારરૂપ) પરિણમન, પર્યાયમાં પકારકથી થાય છે. (એ) વિકારનો અભાવ થઈને, અવિકારરૂપ (જે) પરિણમન થાય છે તે એક ભાવગુણના કારણે થાય છે. તો એ ભાવ (ગુણ) એવો છે કે વિકારના અભાવરૂપ-ધર્મરૂપ-મોક્ષમાર્ગની પર્યાયરૂપ-પરિણમન થાય છે. આહા. હા.. હા! તો આ કમબદ્ધ' માં પણ એમ કાઢ્યું છે! સમજાય છે કાંઈ ?
કોઈ કહે કે “ક્રમબદ્ધ' છે... “ક્રમબદ્ધ છે, તે થશે. થશે'. પણ (ધીરજથી) સાંભળ: પ્રભુ! પર્યાય ક્રમબદ્ધ તો એમ જ થાય છે; પણ ક્રમબદ્ધમાં “અકર્તાપણું” ક્યારે આવે છે? “હું કરું.... હું કરું. આ પર્યાયને એવી કરું ત્યાં સુધી તો વિકલ્પ છે અને “કર્તાપણા' નો (કર્તા બુદ્ધિનો) ભાવ છે. તો “પર્યાય ક્રમબદ્ધ થાય છે' એમાં “હું કરું' એવો વિકલ્પ પણ નહીં; અને “પર્યાય થાય છે... એને “હું કરું' એવો ભાવ પણ નહીં. આહા.... હા.... હા! આવી વાત ઝીણી છે!
પ્રભુ અંદર સચ્ચિદાનંદ પ્રભુ- “સિદ્ધ સમાન સદા પદ મેરો' –એવી જે અંદર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com