________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ : પ્રવચન નવનીત ભાગ-૧
જેમ શુદ્ઘ દ્રવ્યસ્વભાવ ધ્રુવ, ધ્રુવ ચીજ, જે ભગવાન આત્મા નિત્ય ધ્રુવ છે, તે તો દયાદાન-વ્રતના પરિણામનો કર્તા-ભોકતા નથી. પણ (જેને ) શુદ્ધ પરિણતિ થઈ, દ્રવ્યદષ્ટિ થઈ, સમ્યગ્દર્શન થયું; ( એટલે કે ) શુભાશુભ ભાવ અશુદ્ધ છે, એનાથી ભિન્ન થઈને, પોતાના સ્વભાવની શુદ્ધ દશા થઈ; એ પણ રાગનો કર્તા-ભોકતા નથી.
આહા... હા! ગાથા ઝીણી છે, ભાઈ ! હજી આજ તો શરૂ કરી છે. આ તો બહારથી ઘણા માણસો આવ્યા છે, તો એમને ખ્યાલમાં આવે કે કંઈક બીજી ચીજ છે. ભાઈ ! બાપુ! વીતરાગ ૫૨માત્માનો પંથ (તો ) જગતથી નિરાળો છે. જગતની સાથે એની ક્યાંય મેળવણી થતી નથી.
,,
આહા.. હા! અહીં કહે છે કે “પોતે શુદ્ધઉપાદાનરૂપે ” શું કહ્યું? ભગવાન આત્મા, શુદ્ધચૈતન્યથન આનંદકંદ, ધ્રુવની દષ્ટિ થઈને શુદ્ધપરિણત થયો, તો એ શુદ્ધ ઉપાદાન થયો. રાગદ્વેષ (થતા ) હતા તે અશુદ્ધ ઉપાદાન. અને આ શુદ્ધપરિણત થયો એ શુદ્ધ ઉપાદાન. આહા... હા !
-
',
“પોતે શુદ્ધ ઉપાદાનરૂપે ” કોણ ? કેઃ જે ત્રિકાળ શુદ્ધસ્વરૂપ ભગવાન છે, એનો અનુભવ થયો. રાગના વિકલ્પથી રહિત આત્માના આનંદનું વેદન થયું ( તે ). જેમ ‘ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ’ કર્તા-ભોકતા નથી, તેમ ‘શુદ્ધ પરિણતિવાળો' પણ રાગનો અને દ્વેષનો કર્તા-ભોકતા નથી. કેમ ? કેઃ પોતે શુદ્ધ ઉપાદાનરૂપે (રાગાદિનો ) કર્તા નથી. પર્યાયમાં થાય છે. પણ (તેનો ) શુદ્ધ ઉપાદાન (રૂપે ) પર્યાયથી કર્તા-ભોકતા નથી.
આહા... હા... હા! પ્રભુ! આ તો વીતરાગની અમૃતવાણી છે. અત્યારે તો બહારથી આખી ક્રિયા-કાંડની પ્રવૃત્તિ ચાલે છે. અને બસ! એમાં આખો ધર્મ માની લે છે! અહીં કહે છે: સાંભળ પ્રભુ! અત્યારે મહા વિદેહક્ષેત્રમાં વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞ જિનેશ્વરની સભામાં, એકાવતારી ઇન્દ્રો વાણી સાંભળવા માટે આવે છે. ત્યાં ‘આ વાત' પરમાત્મા કહેતા હતા. ‘ એ વાત ' કુંદકુંદાચાર્ય આડતિયા થઈને જગતમાં જાહેર કરે છે કેઃ
“પોતે શુદ્ધ ઉપાદાનરૂપે કરતો નથી” એ શું કહ્યું ? “ અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ ” ( એટલે કેઃ ) જેને શુદ્ધ પરિણતિ થઈ સમ્યગ્દર્શન થયું – ‘ એ ’ શુદ્ધ ઉપાદાન રૂપે (રાગાદિનો ) કર્તા નથી. અશુદ્ધ ઉપાદાનથી રાગાદિ થાય છે; પણ શુદ્ધ ઉપાદાનના કારણે (તે તેનો ) કર્તા-ભોકતા નથી. આહા... હા!
ઉપાદાન શું અને નિમિત્ત શું? એ પણ હજી (લોકોને) ખબર નથી. પર્યાયમાં શુદ્ધ ઉપાદાન (છે) ત્યારે એક અશુદ્ધ ઉપાદાન પણ છે. વિકાર જ્યારે ઊપજે છે, એ અશુદ્ધ ઉપાદાન છે. અને પછી તેનાથી (વિકારથી ) હઠીને સમ્યક્ ધર્મ થયો તો શુદ્ધ ઉપાદાન થયું. એકલું ઉપાદાન ન લીધું. “પોતે શુદ્ધ ઉપાદાનરૂપે ” આઠ વર્ષની બાલિકા-ચૈતન્ય ભગવાન આત્મા જ્યારે સમ્યગ્દર્શન પામે છે, તો એ શુદ્ધ ઉપાદાનથી (પામે છે). એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com