________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૨૦૧ “અકર્તા સિદ્ધ થાય છે. ગાથાનું મથાળું એ લીધું કે હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે”. એ “અકર્તૃત્વ' સિદ્ધ કર્યું. આ તો આજ આઠમો દિવસ છે. આહા.... હા! પાર નહીં.. પ્રભુ! એ ગંભીરતાનો પાર નથી. વીતરાગની વાણી અને એના ભાવ!! સામાન્ય પ્રાણી સમજી શકતાં નથી.
( સ્થાનકવાસી સંપ્રદાયમાં) મૂર્તિને માને નહીં. મૂર્તિ પાસે જાય નહીં. પ્રચાર જ એવો છે - ત્યાં (સ્થાનકવાસીમાં) મૂર્તિ નથી. પ્રતિમા છે જ નહીં. એટલે મલાડ (મુંબઇ) માં એ લોકોએ વિરોધ કર્યો. (પણ) ક્યાં એકાંત થઈ જાય છે, એની લોકોને ખબર નથી, અહીં તો કહે છે કેઃ શાશ્વત અસંખ્ય પ્રતિમા છે... અસંખ્ય મંદિર છે !
એ મંદિર છે. તો એનાથી શુભ ભાવ થાય છે, એમ નથી. અને એ શુભ ભાવ પોતાની કમજોરીથી, (જ્યાં સુધી) (પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી, આવ્યા વિના રહે નહીં. છતાં, એ શુભભાવ ધર્મ નથી અને ધર્મનું કારણ (પણ) નથી.
“અન્ય નિરપેક્ષ” – એ રાગની અપેક્ષા વિના, સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. આહા.... હા! ઝીણી વાત, ભાઈ ! અહીં કોઈ પક્ષ નથી, વાડો નથી. અહીં તો ત્રણ લોકના નાથ ભગવાન સીમંધરસ્વામી ફરમાવે છે એ વાત છે! આહા... હા.! ( વિશેષ) શું કહે.. શું કરે ? (ગાથાનું જે મથાળું લીધું હતું કે, “હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંત પૂર્વક કહે છે” – (એને અહીંયા સિદ્ધ કર્યું.) “કમબદ્ધ' માં (આત્મા) નું “અકર્તાપણું ” સિદ્ધ કર્યું.
ભાવાર્થ: સર્વ દ્રવ્યોનાં પરિણામ જુદાં જુદાં છે. પોતપોતાનાં 'પરિણામોનાં, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોનાં કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો | કોઈની સાથે કર્તાકર્મ સંબંધ નથી. માટે જીવ પોતાનાં પરિણામનો જ કર્તા છે, પોતાનાં પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાનાં પરિણામનું જ કર્તા છે, પોતાનાં ( પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો
અકર્તા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com