________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૭૧ જ્ઞાનપર્યાય' જૂઠી છે, એમ છે? (-એમ નથી !) એ (કેવળજ્ઞાનપર્યાય) વ્યવહારનયનો વિષય છે! એ તો “પર્યાયનો આશ્રય કરવા લાયક નથી' એ અપેક્ષાએ, બધી પર્યાયને “નિયમસાર' ગાથા-૫૦માં પરદ્રવ્ય, પરભાવ, પર, હેય કહ્યું. (પણ ખરેખર એ શું) પરદ્રવ્ય છે? – એ છે તો પોતાની પર્યાય. પણ જેમ પરદ્રવ્યમાંથી (પરલક્ષથી) (પોતાની) નિર્મળપર્યાય નથી થતી, એમ (પર્યાયના લક્ષ-) પર્યાયમાંથી નવી થતી નથી. એ કારણે, પોતાની પર્યાયને પરદ્રવ્ય જેવી કહીને, પર્યાયને પરદ્રવ્ય કહ્યું. અને જેમાંથી શુદ્ધ પર્યાય આવે છે, એને સ્વદ્રવ્ય કહ્યું. (શ્રોતા:) આ વિધિ છે? (ઉત્તર) આ વિધિ છે! (શ્રોતાઃ) સમ્યગ્દર્શન જ્યારે થશે તે એ જ વિધિથી? (ઉત્તર) ‘આ’ વિધિ છે! સમજાણું કાંઈ ?
આહા. હા! આમાં (ટકામાં) “કાળાદિ” શબ્દ પડયો છે ને? એકલો “કાળ” નહિ, કાળાદિ, એ લબ્ધિ પાંચ છે: કાળ, ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્યતા. -એ તો વ્યવહારનયનો વિષય છે. કળશ (ટીકા) કાર કહે (છે કે ) - કાળલબ્ધિ વિના (સમ્યગ્દર્શન) થતું નથી. યત્નથી નથી થતું. એ તો એ અપેક્ષાએ કે, એમને “કાળલબ્ધિ” સિદ્ધ કરવી હતી. (શ્રોતા:) ટોડરમલજીએ (તો) કહ્યું કે, કાળલબ્ધિ કોઈ વસ્તુ જ નથી.' (ઉત્તર) ઉડાવી દીધી-કાળલબ્ધિ અને ભવિતવ્ય કંઈ છે જ નહીં, એમાં તો કહ્યું. એ તો અમારે ૭૨ ની સાલથી વાત ચાલે છે, “કાળલબ્ધિનું જ્ઞાન કોને?' કહ્યું: કાળલબ્ધિ તો છે, (પણ) કાળલબ્ધિથી થાય છે, એવી ધારણા કરવી છે? ' ધારણા તો અનંતવાર કરી. પણ કાળલબ્ધિથી થાય છે' એવું જ્ઞાન કોને થાય છે? (કે) જેણે દ્રવ્ય ઉપર દષ્ટિ કરી, અને પર્યાયમાં આનંદ આવ્યો, સમકિત થયું; ત્યારે એને ખ્યાલ આવ્યો કે મારી કાળલબ્ધિ પાકી ગઈ છે.'
સમજાય એટલું સમજવું, પ્રભુ! માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! આહા.. હા ! મહાવિદેહમાં તીર્થકર ત્રણ લોકના નાથ, પરમાત્મા બિરાજે છે, એનો માર્ગ, એનો ઉપદેશ કોઈ અલૌકિક છે !!
કાળાદિ લબ્ધિ ” એ પણ પર્યાયનયનો વિષય છે. આહા... હા.. હા! (શ્રોતા:) એ ક્યો વ્યવહાર છે? (ઉત્તર) એને સદભૂત કહેવામાં આવે છે.
બહુ-વિશેષ વિચાર તો ઘણો કર્યો છે પણ કાંઈ બધું પકડાતું નથી, ભાઈ ! (શ્રોતા ) આપને નથી નથી પકડાતું!? (ઉત્તર) ક્ષયોપશમ ઘણો થોડો છે, ભાઈ ! એ તો દુનિયાની અપેક્ષાએ કહેવામાં આવે ક્ષયોપશમ. આહા... હા... હા! ક્યાં સંતોના ક્ષયોપશમ !! એક વખત નહોતું કહ્યું કે આ સર્વજ્ઞપણું આત્મામાં છે તો સર્વજ્ઞનું રૂપ અનંત ગુણમાં છે. એવો પાઠ છે. તો
અસ્તિત્વગુણમાં સર્વજ્ઞગુણનું રૂપ શું?' ઘણો વિચાર કર્યો પણ બેઠું નહિ. અંદરમાં બેસવું જોઈએને? ભગવાન જાણે..! કહ્યું પ્રભુ! સર્વજ્ઞનું રૂપ અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com