________________ અરે ! બે-ચાર સામે ચોપડશે. શેર ખરીદવા નથી.” મતલબ સાફ છે કે - ય કે જે પુણ્ય એક ક્રોધના બદલામાં મોહરાજાને તમે તમારું અઠળ ખરીદી આપો છો. ત્યારે તમારો ક્રોધ સફળ થાય છે. નિષ્ફળ ક્રોધ વખતે પણ મોહરાજા તમારા લલાટે અઢળક પાપકર્મ લખાવી લે છે. મતલબ કે ભવિષ્યમાં કે ભૂતકાળમાં થવાની કે થયેલ સાધના નકામી થઈ જાય છે. આવી છડેચોક લૂંટ મોહરાજા ચલાવે છે. છતાં તમને શું ક્રોધનો જ શેર પસંદ પડે ? તમને કોના શેર લેવા પસંદ છે ? પુણ્યની મંદીના સમયમાં પણ પુણ્યની આકરી કિંમત ચૂકવ્યા પછી જ મળતા ક્રોધના શેર ખરીદવામાં કે ક્ષમાના શેર ખરીદવામાં ? આટલું સ્પષ્ટ જાણ્યા પછી પણ જો તમે ક્રોધના શેર ખરીદવાના ચાલુ રાખો તો તમને શું કહેવાય ? બાપે દીકરાને કીધું - “બેટા ! આ બાજુ જે મોહનભાઈની દુકાન છે, ત્યાંથી 250 ગ્રામ ભીંડાનું શાક લઈ આવ ને ! જો જે હોં, મોહનભાઈની દુકાનમાંથી જ શાક લાવજે. આજુ-બાજુમાંથી ક્યાંયથી પણ નહીં હો ! ત્યાં બહુ લાઈન હશે, કદાચ અડધો કલાકે પણ ભીંડા મળે. પરંતુ, તેના જેવા કૂણા ભીંડા બીજે નથી મળતા. માટે ત્યાંથી જ લાવજે.” દીકરો “સારું” કહી ભીંડા લેવા રવાના થયો. દીકરો નવા જમાનાનો હતો. પૈસા પોતાની પાસે જ હતા. 5-10 મિનિટ થઈ ના થઈ, ત્યાં તો ભીંડાની થેલી લઈને આવતો દીકરો તમને દેખાયો. પહેલી જ શંકા પડી કે - નક્કી ક્યાંક બીજેથી ભીંડા લઈ આવ્યો છે. આવતાવેંત જ પૂછ્યું કે - “અલ્યા ક્યાંથી લઈ આવ્યો? આટલો ફટાફટ કેમ આવી ગયો ?" “હું તો મોહનભાઈને ત્યાંથી જ ભીંડા લઈ આવ્યો છું.” બાપે ભીંડા ચેક કર્યા. ખરેખર ક્વોલિટી મોહનભાઈના ભીંડા જેવી જ હતી. એટલે બીજું કશું કહી શકાય તેમ ન હતું. છેલ્લે બાપે પૂછ્યું - 33