________________ 19 - પોઝિટીવ ચિંકીંગ પોલિસી રહે ટ કોઈક કોઈક ભારેખમ પ્રસંગોમાં જીવને માનસિક શાંતિ, સમાધિ, સ્વસ્થતા જાળવવી ભારે થઈ પડતી હોય છે. આવા સમયે માનસિક શાંતિ, સ્વસ્થતા અને સમાધિ આપવાનું કામ આ પોલિસી કરે છે. ધારો કે શરીરમાં તાવ, કળતર જેવું લાગે છે. આવી અવસ્થામાં સ્વાભાવિક છે કે ઘડી ઘડીમાં કોઈના ઉપર ગુસ્સો આવ્યા વિના રહે નહીં. માનસિક ઉદ્વેગ પણ વધ્યા જ કરે. “ઓહ! મને તાવ આવી ગયો, મારા ધંધા બંધ થઈ ગયા...” ઈત્યાદિ ઉદ્વેગને કારણે ગુસ્સો કાબૂમાં રહેવો કઠીન થઈ પડે. આવે વખતે, આ પોઝિટીવ થિંકીંગ પોલિસીનો સહારો સર્વોત્તમ સાબિત થાય. “મને તો હજુ સાદો તાવ જ આવ્યો છે ને ! ઝેરી મલેરિયા તો નથી થયો ને ! વાયરા તો ઝેરી મેલેરિયાના છે. જો મને તે લાગુ પડી ગયો હોત તો ? આના કરતાં વેદના પણ ઘણી, પળોજણ પણ પારાવાર !' - આવી રીતે પોઝિટીવ વિચારધારા જેમ જેમ અપનાવવામાં આવે તેમ તેમ તે પ્રસંગની ભારેખમ અસર હેઠળ ઉત્પન્ન થતો ક્રોધ સ્વયં રવાના થવા માંડશે. શિષ્યનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો. હવે, ઉપદેશ આપવા 167