________________ હવે વિચારવાનું આપણે છે, એ તો જવા તૈયાર જ છે. પણ, આપણે એની મહેમાનગતિ કરીએ છીએ કે “હલવો' કહી દઈએ છીએ ? અપનાવો આ “હલવો' પોલિસી. ક્રોધને ભાગ્યે જ છૂટકો. આ “હલવો' પોલિસીને એક જુદી દૃષ્ટિએ પણ અપનાવી શકીએ છીએ. હલવો’ પોલિસી કહી રહી છે કે - આ ભવમાં આવતી કોઈ પણ પરિસ્થિતિ તમે જ કરેલો પૂર્વકર્મોના ફળરૂપ છે. માટે, તેને અહીં હલવો, હલવતાં શીખો. કર્મસત્તા તમને કોઈ પણ પરિસ્થિતિમાં મૂકી શકે છે. જો તે વખતે તેને હલવતા નહીં શીખો તો મગજ ઉપર કાબૂ નહીં રહે. આખરે પરિસ્થિતિ તો બદલતી નથી, કિંતુ મનઃસ્થિતિ પણ ખાડે જવાથી કર્મબંધ ચિક્કાર થઈ જાય છે, જે વારે વારે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તેમાં વળી પાછો ગુસ્સો... આમ દુશ ચાલ્યું જ રાખે, ચાલ્યું જ રાખે. કર્મસત્તા પણ આ જ કહી રહી છે - “હું ગમે તે પરિસ્થિતિનું નિર્માણ કરી શકું છું. તેને હલવો, હલવતા શીખો, બાકી છુટકારો નથી.” ૩ર દીકરા એકી કલમે સુલસા પાસેથી ચાલ્યા ગયા. એ આઘાતમાં તેનો પતિ પણ પરલોકમાં વિદાય થઈ ગયો. છતાં સુલસાએ મગજ ઉપરનો કાબૂ ન ગુમાવ્યો, શ્રેણિક ઉપર કે બીજા કોઈના પણ ઉપર ગુસ્સો કરવાના બદલે માત્ર પોતાના કર્મને દોષ આપ્યો. મતલબ કે “ગયા ભવના બાકી રહેલા કર્મોને આ ભવમાં હલવો' - આમ પોતાની જાતને કહી આવી ભયાવહ પરિસ્થિતિને હલાવી દીધી, ફવડાવી દીધી. અનંતા તીર્થકરો આ એક શબ્દ જાણે આપણને કહી રહ્યા હોય તે રીતે “હલવો’ શબ્દ ઘંટો. મનમાં તેના પડઘમ વાગતા સંભળાય. કોઈ પણ અનિષ્ટ પ્રસંગ આવી પડે ત્યારે જાણે આપણને શાસ્ત્રકારો કહી રહ્યા છે - “હલવો'. આ વિષમ કર્મોને પણ હલવો. આ વિકટ પરિસ્થિતિને પણ હલાવી લો, ચલાવી લો. મગજ ઉપરથી કાબૂ ન ગુમાવો. જો ગુસ્સો કર્યો તો સામે તમારું અઢળક પુણ્ય ખર્ચાયા 75