________________ અત્યંત સ્વરૂપવાન રાજકુમારી અનેક ગુણોથી શોભતી હોવા છતાં એકમાત્ર ક્રોધને કારણે આખા રાજ્યમાં અપ્રિય થઈ પડી હતી. નાની-નાની બાબતોમાં પણ એને બેહદ ગુસ્સો આવતો હતો. પોતે રાજકુમારી હતી, જુવાની હતી, પુણ્યનો ઉદય પૂરજોશમાં ચાલી રહ્યો હતો. માટે, નોકર-ચાકર બધા મૂંગે મોઢે એનો ગુસ્સો સહન કરી રહ્યા હતા. ઘણાના મનમાં સામે બોલવાનો વિકલ્પ આવ્યો હોવા છતાં પણ રાજકુમારીના પુણ્ય તેને અત્યાર સુધી બચાવી દીધી હતી. સૌ ઉપર -ઉપરથી તેની સાથે સારો વ્યવહાર કરતા. પણ અંદરથી તો બધાં તેનાથી ઉબગી ગયા હતા. આ રાજકુમારીનો ગુસ્સો પણ અત્યંત ભયાનક હતો. સાવ ધૂળ જેવા કારણોને લઈ તેનો ગુસ્સો આસમાનને આંબતો. ગુસ્સામાં ન બોલવા જેવા શબ્દો નીકળતા. કેટલાયનો મર્માઘાત કરતા શબ્દો નીકળતા. ગુસ્સામાં તેનો આખો દેદાર ફરી જતો. તેનો સોહામણો ચહેરો બિહામણો થઈ ઉઠતો. એક રાક્ષસી જ લાગતી. નાની-નાની બાબતોમાં રજનું ગજ કરી તે આવો ગુસ્સો કરતી. આથી જ સહુને તે અપ્રિય થઈ પડી હતી. પણ, પુણ્યના ઉદયમાં મુસ્તાક હોવાના કારણે રાજકુમારી આ વાત સમજી શકતી નથી. ગુસ્સાના ઉદયમાં મારા દ્વારા બોલાયેલા 97.