________________ કોઈ સાયન્સના વિદ્યાર્થીને પૂછો કે પાણી એટલે શું ? તે તરત જવાબ આપશે - H,O. પાણી એ હાઈડ્રોજન અને ઓક્સિજનના રેણુઓનું સંયોજન છે. અહીં આશ્ચર્ય એ છે કે હાઈડ્રોજન અત્યંત સંવેદનશીલ, વલનશીલ અને દહનશીલ વાયુ છે. ઓક્સિજન દહનમાં સપોર્ટ કરનાર, સહાયક વાયુ છે. ઓક્સિજન વિના આગ પેટી શકે નહીં. આગમાં સહાયક અને આગના ઉત્પાદક બન્ને ભેગા થાય તો શું થાય ? આગ જ ને ! જ્યારે અહીં તો આગથી તદ્દન વિરુદ્ધ પાણીનું સર્જન થાય છે. આગની સામી પાટલીએ પાણી બેસેલ છે ! આની પાછળ કારણ તરીકે વિચારશો તો સમજાશે કે આ બન્ને વાયુ છૂટાછૂટા હોય તો ચોક્કસ આગ પેટાવ્યા વિના ન રહે. પણ, અહીં એ બન્ને વાયુનું મિશ્રણ - સંયોજન થાય છે. બે વાયુને બાજુબાજુમાં ખાલી મૂકી દેવાના નથી. પણ, મિશ્રિત કરવાના છે. ઓક્સિજન કરતાં બમણા પ્રમાણમાં હાઈડ્રોજન વાયુને તેની સાથે અમુક ચોક્કસરૂપે સંયોજિત થવાનું છે. તો જ પાણીની ઉત્પત્તિ થઈ શકે. મતલબ કે આગને પેટાવનારા બે તત્ત્વોનું જો યોગ્ય રીતે મિશ્રણ કરવામાં આવે તો તે આગને ઠારનાર થઈ જાય છે. તેવી જ રીતે અનાદિ 302