________________ ક્રોધાંધ માણસની પણ આ જ હાલત હોય છે. તે સાધનાની મહેનત કરી શુદ્ધિ-પુણ્ય વગેરે ભેગું કરે. પણ પાસે રહેલા ક્રોધના કૂતરાઓ બધું જ ચાટી જાય. એ માણસના હાથમાં કશું જ ન આવે. સાધના અપરંપાર હોવા છતાં કર્મસત્તા ક્રોધની વસૂલાત કર્યા વિના રહેતી નથી. તીર્થકર જેવાની શરમ ન નડતી હોય તો બીજાની કોની શરમ એને નડવાની ? આ તો માત્ર ક્રોધની સામાન્યથી ગણતરી કરીને હિસાબ ગણ્યો. બાકી ક્રોધાંધ થયેલ માણસ મોઢામાંથી શું બકવાટ કરશે તેનો કોઈ ઢંગધડો હોય નહીં. માટે તેની જે સજા થાય તે પણ ભયાનક હોય છે. દીકરો ભણવા ગયેલો. જ્યારે પાછો આવ્યો ત્યારે ભૂખ સખત લાગેલી. ઘરમાં ઘૂસ્યો, ચારે બાજુ જોયું. ખાવાનું કહ્યું હતું નહીં. મા પણ ઘરમાં દેખાય નહીં. અને ભૂખની આગ સાથે ગુસ્સાની આગ પણ ભળી. મા આજુબાજુના ઘરમાં કામ કરવા ગઈ હતી. સમય વીતતો જાય તેમ ગુસ્સો પણ વધતો જાય છે. ઘણાં સમય બાદ થાકી-પાકી ખા ઘરે આવે છે. હજી તો ઘરમાં પણ ખે, ત્યાં જ દીકરો ગારસામાં બોલી ઉઠ્યો - “ક્યાં ફાંસીએ ચઢવા ગઈ હતી ? રસોઈ બનાવીને જતાં નથી ફાવતું ?" આક્રોશમાં બોલાયેલા શબ્દો માને પણ દઝાડી ગયા. કામો કર્યાનો શ્રેમ તો હતો જ. તેમાં આ શબ્દો કાનમાં પડતા માનો ગુસ્સો પણ આસમાને પહોંચ્યો અને તેણે દીકરાને સામો જવાબ વાળ્યો - તારા હાથ કપાઈ ગયા હતા કે ઉપર સિક્કામાં પડેલું ભોજન લેતા ન આવડ્યું ?" બસ ! આવેશમાં આવી શબ્દો બોલાઈ ગયા અને કર્મસત્તાએ મીટર ચાલુ કરી દીધું. પછીના ભવમાં જ્યારે વસૂલીનો સમય આવ્યો ત્યારે બિનગુનેગાર દેખાતા દીકરાએ હકીકતમાં ફાંસીએ ચઢવું પડ્યું અને માને પોતાના હાથ કપાવા પડ્યા ! કેવું જાલિમ પરિણામ ! 71