________________ 7), * * એક સંતપુરુષ એક ગામથી બીજે ગામ પોતાના શિષ્યની સાથે ફરતા હતા. વચ્ચે એક એવું ગામ આવ્યું કે જ્યાંના બધા લોકો નાસ્તિક હતા. પૂરેપૂરા નાસ્તિક. સાધુ-સંત-મહાત્માઓને તો એ લોકો ધૂત્કારતા. કોઈ પણ સાધુ કે સંતો એ ગામને ટાળી જ દેતા. ક્યારેક કોઈક અજાણ્યા સંત ત્યાં આવી ચડતા તો ગામના લોકો તેમને ભારે સતાવતા. આ સંતપુરુષ પણ પોતાના શિષ્યની સાથે એક વાર ત્યાં જ આવી ચડ્યા. ગામના લોકો રાજી થયા. વાહ ! ઘણા વખતે કોઈ સંત આવ્યા. એમને હેરાન કરવાની મજા આવી જશે !!! ગામની બહાર ચોરામાં જ કેટલાંક લોકો ગપ્પા હાંકતા બેઠા હતા. સંતપુરુષ અને એમનો શિષ્ય જેવા ગામ પાસે પહોંચ્યા કે આ બધાએ ભેગા મળી એમની ટીખળ ઉડાડવાની શરૂ કરી. ભારે અપશબ્દો અને ગાળોનો વરસાદ વરસાવ્યો - “આ બધાં લોકો ધતીંગ કરતા હોય છે. ઘરમાં ખાવાનું મળે નહીં, જાત મહેનત કરવામાં જોર પડતું હોય એટલે બાવા થઈ જવાનું. આખો દિવસ ભીખ માંગે કરવાની. ધરતીને ભારબોજ રૂપ છે આ લોકો.' શિષ્ય તો આ શબ્દો સાંભળીને ઉકળી જ પડ્યો. પણ, સંતપુરુષ શાંત હતા. પોતાના ગુરુ મહારાજને શાંત 200