________________ 33 એક પ્રશ્ન કરી લઉં - તાકાત કોની વધારે ? પાણીની કે પથ્થરની ? પથ્થર ભલે દેખીતી રીતે અત્યંત નક્કર દેખાતો હોય પણ ટપક...ટપક રીતે પડતું પાણી આખરે એ પથ્થરમાં ખાડો પાડીને જ રહે છે. ગમે તેટલો ય નફફટ પથ્થર આખરે છોલાઈને, ઘસાઈને જ રહે છે. માટે તાકાત પથ્થરની નહીં, પણ પાણીની વધારે છે. પાવર - પાણીનો વધુ પાવરફૂલ છે, પથ્થરનો નહીં. આ જ વાત અધ્યાત્મ જગતમાં પણ લાગુ પડે છે. ક્રોધ ભલે ભયાનક, તાકાતવાન ભાસતો હોય. ક્ષમા નિર્બળ અને દયાપાત્ર લાગતી હોય પણ જે તાકાત ક્ષમામાં છે તે ક્રોધમાં નથી. ક્ષમા આખરે ક્રોધને તોડી પાડીને જ રહે છે. તાકાત નથી ક્રોધની કે એ ક્ષમાના સત્તેજની સામે ટક્કર ઝીલી શકે. તમારા જીવનને જ તપાસી જાઓ. અત્યાર સુધી તમે ક્રોધ રૂપી પથ્થરનો જ ઉપયોગ કરેલ છે. શાંતિ-સમાધિમાં વધારો થયો કે ઘટાડો ? તમારો જ અનુભવ હશે કે ગમે તે હો, પણ શાંતિ-સમાધિમાં સતત ઘટાડો જ નોંધાઈ રહ્યો છે. આ બાબતના કારણમાં ઊંડા ઉતરશો એટલે સ્પષ્ટ સમજાઈ જશે કે ક્રોધના શરણે જવાથી જ આ હાલત