________________ દીકરો પપ્પા પાસે દારૂની બોટલ લઈને આવ્યો અને કીધું - પપ્પા ! જો આ દારુની બોટલ લઈ આવ્યો.” પપ્પા ગરમ થઈ ગયા. એમણે વાત કરી - ‘પણ ! તારે દારૂની બોટલ લાવવાની જરૂરત શી પડી ?' અરે પપ્પા ! અંદરખાનેથી મને સમાચાર મળ્યા કે આ દુકાને દારુ અડLT કિંમતે વેચાય છે. હું તે દુકાનમાં ગયો તો ખરેખર બહાર જે કિંમતે , ળે છે તેના કરતાં અડધી કિંમતે એ દુકાનમાં દારૂ મળી રહેલ હતો. - મેં એક બોટલ ખરીદી લીધી.” તમારો દીકરો જો આવું કહે તો તમે તેને આ જ કહો ને કે - “બેટા ! દારુ મફતમાં મળતો હોય તો ય લેવાની જરૂરત શી ? દારુને હાથ પણ લગાડવાની આવશ્યકતા શી ?' શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો આપણને સહુને આ જ ઉપદેશ આપે છે કે સામેવાળી વ્યક્તિ તમારું અપમાન કરે, તમને ગાળ સંભળાવે તો પણ તમારે તે ખરીદવાની જરૂરત શી? ભલે ને તમને તે મફતમાં મળી રહેલ હોય !!! એક વાત સમજી રાખવા જેવી છે કે એક અપેક્ષાએ દારૂ વેચનાર કરતાં દારુ ખરીદનાર વધુ ગુનેગાર છે, વધુ ઠપકાપાત્ર છે. કારણ કે દારુ વેચનાર કંઈ પરાણે તો દારુ પધરાવતો નથી. દારુ ખરીદનારની ઈચ્છા હોય તો જ આપે છે. માટે, મૂર્ખતા દારુ ખરીદનાર કરી રહ્યો છે. કેમ કે સામે ચાલીને પોતાને નુકસાનકારી વસ્તુને એ ખરીદી રહ્યો છે. આ જ રીતે ગાળ બોલનાર કરતાં ગાળ ખરીદનાર અપેક્ષાએ વધુ દોષિત, વધુ ઠપકાપાત્ર ઠરે છે. એ વધુ ગુનેગાર સાબિત થાય છે. આની પાછળ કારણ એ જ કે ગાળ આપનાર, અપમાન કરનાર ભલે ને ગમે તે બોલે. પણ, તમને તો ભગવાને બે કાન આપ્યા છે ને ! તો એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખવામાં વાંધો શું હતો ? શા માટે તેને મનમાં ઉતારી અને ગુસ્સો પેદા થવા દીધો? શા માટે એવા હલકા શબ્દોને પર્સેસ કર્યા ? શા માટે તેવા અપમાનકારી શબ્દોને ખરીદ કર્યા ? બજારમાં ક્યારેય પણ હલકી ચીજને ખરીદવાની 205