________________ આગ ઠારવા આવશે કોણ ? તમારી પાસે નથી તો તેવા પ્રકારની તપની સાધના, સંયમની સાધના કે બીજી કોઈ પણ સાધના. તમને તો કોણ બચાવી શકશે ? ગુસ્સાના પ્રભાવે જ્યારે વાઘ-વરુના ભવ મળશે ત્યારે કોણ સમજાવવા આવવાનું ? અને આ ભવમાં સમજણ છે છતાં ક્રોધ છોડવાની તૈયારી ન હોય તો તે ભવમાં કોઈ સમજણ આપનારું મળશે છતાં ક્રોધ કેવી રીતે છૂટશે ? તેથી જેમ થોડા પણ અગ્નિને બૂઝાવી દેવામાં જ કલ્યાણ છે, થોડા પણ દેવાને શરૂઆતમાં જ ચૂકવી દેવામાં શ્રેય છે, થોડા પણ ઘાને ઉગતો જ રૂઝવી દેવામાં આરોગ્ય છે, તેમ કષાયોને ઉગતા જ ડામી દેવામાં પરમ કલ્યાણ છે. આ વાત દિલમાં કોતરી રાખજો. બાકી ક્રોધની લોન મોહની પાસેથી લેવામાં જ તમારે રચ્યા-પચ્યા રહેવું હોય તો થોડો હિસાબ માંડી દો. જો પાંચ વર્ષે રકમ ડબલ થતી હોય તે રીતે ફક્ત 10 રૂા. ની લોન તમે લો તો 100 વર્ષે 1 કરોડથી વધુ રૂપિયા ચૂકવવાના થાય. માનો કે કર્મસત્તાને ત્યાં દરેક વસ્તુ બીજા દિવસે ડબલ ચૂકવવાની થાય છે અને જો કર્મસત્તા પાસેથી ફક્ત 1 પૈસાની લોન લો તો 1 મહિનાના અંતે શું રીઝલ્ટ આવે ? તે જુઓ - એિક ઉપમાથી ફક્ત આ સમજાવ્યું છે. હકીકત તો આનાથી પણ વધુ ભયંકર હોઈ શકે છે.] દિવસે દિવસે ડબલ લેણું કરનાર કર્મસત્તા પાસેથી લીધેલ 1 પૈસા જેટલા ક્રોધનું સરવૈયું તારીખ રકમ 00.01 પૈસો 00.02 પૈસા 00.04 પૈસા 00.08 પૈસા 20.16 પૈસા ૦૦.૩ર પૈસા 68