Book Title: Ghar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 402
________________ બસ સ્ટોપ તરીકે આવે તે સુખનો માર્ગ હોય ? ગુસ્સો કરીને તમે સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ, ગુસ્સો કરવા દ્વારા અશાંતિ અને અસમાધિ જ આવે તો તે ગુસ્સો સુખનો માર્ગ કેવી રીતે કહી શકાય? બીજાની સાથે છેતરપિંડી કરવી, કોઈકને અન્યાય કરવો, ક્રોધ કરવો - આ સુખના માર્ગ ઉપર આવનારા બસસ્ટોપ નથી. કારણ કે આ બધાં દ્વારા સરવાળે તો અશાંતિ અને અસમાધિ જ પ્રાપ્ત થાય છે. તે સંસારમાર્ગના, દુઃખ-દુર્ગતિના માર્ગના વચલા બસસ્ટોપ છે. જંદગીના વહી ગયેલા વરસોનો હિસાબ તપાસી જાઓ. સુખ મેળવવા માટે જ દરેક પ્રવૃત્તિ કરી હોવા છતાં જીવનમાં સુખની મંઝિલ આવી કે નહિ? સુખની વાત તો દૂર છે. શાંતિ મળી ? સમાધિ મળી ? જો શાંતિ અને સમાધિ પણ પ્રાપ્ત નથી થઈ તો તે રસ્તે આગળ વધતા સુખ મળે તેવી શક્યતા શી ? અમદાવાદથી નીકળ્યા બાદ જો રસ્તામાં આબુ આવે તો તે રસ્તે આગળ વધતા મુંબઈ આવે તેવી કોઈ શક્યતા નથી. તો પછી જે પણ રસ્તે આગળ વધતા અસમાધિ, સંક્લેશ વગેરે જ આવે તે રસ્તે સુખ મળે તેવી કોઈ શક્યતા નથી. દુઃખના માર્ગમાં જ અશાંતિને અને અસમાધિને સ્થાન છે માટે, સાવચેત થઈ જજો. આટ-આટલા વરસો પછી પણ જો અશાંતિ અને અસમાધિ જ પ્રાપ્ત થઈ હોય તો નિશ્ચિત સમજી રાખજો કે તમે દુઃખના માર્ગો છો. આ દુઃખના માર્ગેથી તાત્કાલિક પાછા વળી જાઓ. ગુસ્સો એ સુખનો માર્ગ નથી, દુઃખનો માર્ગ છે. તમે સુખ મેળવવા માટે ગુસ્સો કરો છો. પણ હકીકતે તેના દ્વારા સુખ નહીં, દુઃખ જ મળવાનું છે. માટે, હજુ પણ જાગી જવા જેવું છે. એક વાર ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા... આ બધા ગુણોને અપનાવી તો જુઓ. શાંતિ અને સમાધિ મળીને જ રહેશે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ સુખને મેળવવા માટે ક્ષમા-નમ્રતાનો જ રસ્તો અપનાવ્યો છે. એટલે જ ઢગલાબંધ ઉપસર્ગોની ઝડી વચ્ચે પણ શાંતિ અને સમાધિ જ પરમાત્માને પ્રાપ્ત થયા છે. એ રસ્તે ચાલીને જ પરમાત્માએ શાશ્વત સુખને સંપ્રાપ્ત કર્યું. લક્ષ્ય તો સહુનું એક જ છે - સુખ ! પણ, અનાદિ કાળના 383

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434