________________ આશ્રમ ફેંદવાનું શરૂ કર્યું. પણ, માણસોના પ્રમાણમાં ચીજવસ્તુઓનો સ્ટોક ઘણો ઓછો હતો. અને માણસો ઘણા આવી ચૂક્યા હતા. એટલે એક પણ કપડાની જોડ બચી ન હતી. સ્વયંસેવકો નિરાશ થયા. અચાનક એક સ્વયંસેવકના મનમાં સ્ફર્યું કે એક કંજૂસ શેઠાણીએ જૂની પુરાણી સાડી આપી હતી. તરત જ તે સાડી લઈ તે શેઠાણી પાસે હાજર થયો. અને ગળગળા સાદે કીધું - “બહેન ! અત્યારે કોઈ જ કપડા બચ્યા નથી. આ એક સાડી જ બચી છે.' અને એ સાડી જોઈ બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આખરે પોતે જે સાડી આપી હતી તે જ મેલી-ફાટલી-તૂટલી સાડી પોતાને પહેરવાની આવી. જેવું વાવ્યું તેવું લણવાનો વખત આવી ગયો. અફર સિદ્ધાંત છે આ - જેવું વાવો તેવું લણો. છે... આ બે સિદ્ધાંતને મગજમાં કોતરી દો - 3 (1) જ્યારે જ્યારે પણ સામેવાળો તમારી સાથે ગેરવ્યવહાર કરે છે, ત્યારે ત્યારે તમારે તેના ઉપર ગુસ્સો કરવાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે એ તો તમે જે વાવ્યું છે, તેના જ ફળરૂપે ઊગી રહ્યું છે. તો તેના પ્રત્યે ફરિયાદ કરવાનો તમારો અધિકાર શો ? તથા (2) વર્તમાન પ્રત્યેક સમય તમારા માટે વાવણીનો છે. તમારી સંપત્તિ, બુદ્ધિ શક્તિ, સત્તા, વાચાશક્તિ વગેરેની જેવી રીતે, જેટલી વાવણી કરશો તેના તેવા પ્રકારના, તેટલા ફળ તમારે ભોગવવાના છે. તો શા માટે બી વાવવામાં થાપ ખાવી ? ના, હવે તો બી વાવવામાં થાપ નથી જ ખાવી. એગ્રીકલ્ચર, પોલિસી આટલું જ કહે છે - જેમ ખેડૂત બી વાવવામાં કદી થાપ ખાતો નથી. અને બી વાવવામાં ગફલત કર્યા બાદ પોતાની જાત સિવાયના બીજાને દોષિત ગણતો નથી, તેમ તમે બી વાવવામાં કદી થાપ ખાતા નહીં. અને 49