Book Title: Ghar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 407
________________ "ઈનવિઝીબલ પાવર' પોલિસી અન્યાયના, અપમાનના પ્રસંગોમાં ગુસ્સો થઈ જ જાય છે, રહી શકાતું નથી - તેની પાછળ કારણ શું ? જો થોડું આત્મનિરીક્ષણ કરશો તો ચોક્કસ કારણ જણાશે કે અન્યાય-અપમાન વગેરેના પ્રસંગોમાં લગભગ આવા પ્રકારની વિચારધારા ચાલતી હોય છે - “આ અપમાન સહન કરી લઈશ. તેનો ફાયદો શું? લોકોમાં તો મારું ખરાબ જ દેખાશે ને ? લોકો તો એમ જ સમજશે કે આવો આક્ષેપ પણ આ વ્યક્તિએ સહન કરી લીધો. માટે ચોક્કસ એનામાં જ કશીક ગરબડ હશે. બાકી જવાબ કેમ ન આપે ? અને જો એક વાર આને ચૂપ કરી દઈશ તો બીજી વાર કોઈનું પણ અપમાન કરતા દસ વાર વિચાર કરશે. બસ આ જ પ્રકારની માત્ર દુન્યવી સમીકરણોને જ લક્ષ્યમાં લઈ ચાલતી વિચારધારાને અપનાવી ગુસ્સો કરી બેસો છો. હવે, આ દુન્યવી પદાર્થોને જ કેન્દ્રમાં લઈને ચાલતી વિચારધારા છોડી દો. અદશ્ય પરિબળ, અદશ્ય શક્તિ ઉપર ભરોસો રાખો. સારા ભાવથી સારી પ્રવૃત્તિ કરશો તો તેનું પરિણામ ચોક્કસ સારું જ આવશે. કોઈએ તમારું અપમાન કર્યું, છતાં તમે તે સહન કરી લીધું તો કદાચ તે વખતે લોકોના મનમાં બીજા-ત્રીજા વિચારો આવી શકે છે. પણ, 388

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434