________________ આવે તો જ્યારે ખરેખરમાં તેવો કટોકટીનો પ્રસંગ આવે ત્યારે સમતા જાળવી શકાય. જો આ રીતે તમે ક્ષમા મેળવી અને જાળવી શક્યા તો તમને પણ સામેવાળી વ્યક્તિ તરફથી તેવા પ્રકારનો સારો વ્યવહાર જ અનુભવવા મળશે. કારણ કે ફુવારામાં તમે ગંગાનું પાણી ભર્યું હોય તો ગટરનું પાણી કેવી રીતે મળે ? ટૂંકમાં, આ ફાઉન્ટન પોલિસી એટલું જ કહેવા માંગે છે કે - ફુવારામાં જેવું પાણી ભરો તેવું જ પાણી બહાર નીકળે છે. તેવી રીતે જો સારો વ્યવહાર દરેક વ્યક્તિ સાથે કરવામાં આવે તો તમને બીજા તરફથી સારો વ્યવહાર જ મળે.” આ સંદેશાને જીવનમાં અમલી બનાવવા દ્વારા કાયમ સહુ સાથે સવ્યવહાર જ કરો - તેવી અપેક્ષા અસ્થાને નથી. ક્રોધ તમને દીન-હીન બનાવે છે.. ક્ષમા મહાન બનાવે છે... - જોનાથન બેર્કટ - 346