________________ તમને હા !" 1 જ છે. ક્ષમા એ મારો ડોક્ટર અનુભવી અને જમાનાના ખાધેલ હતા. જ પૂછ્યું - “શું તમે તે પહેલા તરતમાં જ કોઈની સાથે અત્યંત, બેહદ ઝઘડો કર્યો હતો, બોલાચાલી કરી હતી ?" હા ! મારે ભયંકર બોલાચાલી થઈ હતી.” “તો બેન ! આ એનો જ પ્રતાપ છે. આપના એ ગુસ્સા એ આપનું વાત્સલ્યના પ્રતીક સમું અમૃત પણ ઝેર થઈ ગયું.” આ સાંભળીને બહેન તો અવાક થઈ ગયા. જગતમાં માના સર્વોત્તમ વાત્સલ્યનું સર્વોત્તમ પ્રતીક એટલે જ દૂધ. વાત્સલ્યના અમીથી છલકાતું અમૃત સમું દૂધ પણ જેના પ્રભાવે ઝેર થઈ ગયું, એ વરવું પરિણામ ક્રોધના પ્રતાપે. (15) જીવતરમાં ઝેર ઘોળતાં ક્રોધનો આશરો હવે તમને શોભે ? સંબંધોને કડવા ઝેર કરી મૂકતા ગુસ્સાને હજુ ને હજુ શું પોષવો જ છે ? ભાઈ-ભાઈ વચ્ચે આંખે દેખ્યું વૈર પેદા કરાવનારા ગુસ્સાને શું હજુ પંપાળવો જ છે ? ' અરે બહારનો નાગ તો હજુ સારો. પણ, આ ક્રોધનો નાગ તો બહુ ભયાનક. પોતાને સંઘરનારને બહારનો નાગ કદી નાગ નથી બનાવી દેતો. આ ક્રોધનો નાગ તો પોતાને આશરો આપનારને સાક્ષાત્ વિષધર બનાવ્યા વિના નથી રહેતો. પછી તો એના એક ફંફાડે કેટલાય બાળકો પોતાના જીવન ગુમાવે કે એમના જીવતર ઝેર થઈ જાય. વર્ષોના ગાઢ સંબંધો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય. આંખોમાંથી અમીની જગ્યાએ આગ વરસે. વહાલા દવલા થાય. સ્વજન શત્રુ બને.. અને એ વિષધર બનેલો આદમી સ્વયં પણ સતત ને સતત સંક્લેશની આગમાં સળગ્યા કરે. પછીના ભાવોમાં જે દુઃખપરંપરા આવી 37