________________ 35 - એને પોલિસી - મોચી સાંજના સમયે દુકાન સંકેલે ત્યારે બચેલા ચામડાના ટુકડાઓને સીધે સીધા હાથમાં નથી લેતો. કારણ કે તેમાં રહેલી નાની -નાની ખીલી વાગી જવાનો ભય છે. ચામડાનો સ્પર્શ કરતાં પહેલા બધે મેગ્નેટ = લોહચુંબક ફેરવે છે, જેથી છૂટી પડેલી ખીલી લોહચુંબકમાં ચીપકી જાય અને જ્યારે પોતે ચામડું લે ત્યારે પોતાનો હાથ લોહિયાળ થઈ ન જાય. આત્મદોષનું નિરીક્ષણ એ એક લોહચુંબક છે. તે લોહચુંબકને મનમાં એક વાર બધે ફેરવી દો. જે કોઈ પણ સ્વદોષની ખીલીઓ હશે તે તેમાં ચીપકી જશે. પછી ક્રોધથી તમે લોહીલુહાણ થશો નહીં. - ક્રોધને કાબૂમાં લેવાનો રામબાણ ઈલાજ છે સ્વદોષનિરીક્ષણ ! કોઈની ઉપર ગુસ્સો કરતાં પહેલાં ક્ષણ વાર મગજને તસ્દી આપો કે જે ભૂલ માટે હું સામેવાળા ઉપર ગુસ્સે થાઉં છું, તે ખરેખર મારામાં છે કે નહીં ? શું ખરેખર સામેવાળાનો જ વાંક છે ? કે પછી મારો પોતાનો પણ એટલો જ વાંક છે ? શું મારા હાથે પણ આવી ભૂલ થવી સહજ નથી ? સામેવાળી વ્યક્તિએ જે ભૂલ કરી છે, તે જ ભૂલ મારા હાથે થાય તો શું હું મારી જાતને પણ આટલી સજા કરું ?' 259