________________ એક વાત યાદ રાખી લો કે જે નિકાચિત કર્મ ઉદયમાં આવવાના છે કે આવી રહ્યા છે તે આવવાના જ છે. તેને અટકાવી શકવાની શક્તિ આપણામાં નથી. પણ, જો તે કર્મોદયના પ્રસંગોમાંથી શાંત ભાવે પસાર થઈ જઈશું તો કર્મ પણ શાંતિથી પસાર થઈ જશે. ઝાઝી ઉથલ - પાથલ નહીં મચાવે. આપણે ફક્ત કર્મોદયના પ્રસંગોમાં સમતા કેળવી લેવાની છે. જો સમતા ગુમાવી બેસશો તો વધારે ને વધારે તેવા કર્મો બંધાશે. આપણે જેમ જેમ કર્મોદયમાંથી પસાર થતા જઈએ તેમ તેમ કર્મથી ભરેલી ગાડી ખાલી થવી જોઈએ, ભરાવી ન જોઈએ. જેમ મુંબઈમાં સાંજે ચર્ચગેટથી વિરાર જતી ગાડી સતત ખાલી જ થયે રાખે, તેમ જેમ જેમ કર્મોદયના પ્રસંગો વીતતા જાય તેમ તેમ આપણે કેળવેલી સમતા દ્વારા કર્મો ઘટતા જ જાય, ઘટતા જ જાય. આના માટેનું બેસ્ટ સૂત્ર છે “હલવો'. મતલબ કે - મને બધું હાલશે, ફાવશે અને ચાલશે. મારી ઈચ્છા મુજબની પરિસ્થિતિનું નિર્માણ મારે કરવું છે - * આ વિચારધારા જ સંલેશ પેદા કરાવનારી છે. યાદ રહે - આ જીવન સમાધિ માટે છે, સંલેશ માટે નહીં. મોંઘેરો માનવભવ સંકુલેશ કરી વેડફી નાંખવા માટે નથી. “જે રીતની પરિસ્થિતિ સર્જાય તેવા પ્રકારની પરિસ્થિતિમાં મારે જીંદગીને હલવવી છે, ચલાવવી છે. મને આ જીંદગી પણ, આ પરિસ્થિતિ પણ હાલશે, ફાવશે અને ચાલશે' - આવી ઉન્નત વિચારધારા જો અપનાવી લીધી તો પછી ક્રોધ ક્યાંથી આવે? પત્ની કર્કશસ્વભાવવાળી મળવાથી પરિસ્થિતિ દુઃખદ થઈ હોય કે અન્ય કોઈ પણ કારણે, પણ તમારે તમારી સમતા જાળવી રાખવાની છે. વાસ્તવમાં મન એટલું વિચિત્ર છે ને કે ગમે તે પરિસ્થિતિમાં એ દુઃખી જ રહેવાનું. સમજાવવું મનને જ પડશે. બે જણા પાગલની જેમ વર્તાવ કરતા દોડતા હતા એટલે એક વ્યક્તિએ સહજ જ એમને પૂછ્યું - અરે ભાઈ ! તમે તો સજ્જન છો, તો પછી આવો પાગલ જેવો વર્તાવ કેમ કરો છો ? પહેલા પાગલે જવાબ આપ્યો - “જેની સાથે લગ્ન કરવાની તીવ્ર તમન્ના હતી તે મને રી. 78