Book Title: Ghar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 410
________________ . . નાની નાની આ પોલિસી ક્રોધનું સ્વરૂપ ઓળખાવે છે અને તેના દ્વારા તેનાથી બચવાનો રસ્તો પણ બતાવી દે છે. ક્રોધ એ શિકારી જેવો છે. જેમ શિકારી પક્ષીને ફસાવવા માટે દાણાની લાલચ આપે છે તેમ આ ક્રોધ પણ તમને ફસાવવા માટે દાણા નાખશે. તમને લાગશે કે ક્રોધ કરીશ તો મારો રોફ વધી જશે, બધાં મારી શેહમાં આવી જશે, બધાં મારું કહ્યું માનશે, મારો કંટ્રોલિંગ પાવર વધી જશે... આ બધાં દેખાતા ફાયદા ક્રોધે નાંખેલા દાણા જેવા છે. જેમ શિકારીએ નાખેલા દાણા ખાનાર પક્ષી જાળમાં ફસાયા વિના રહેતો નથી. અને પરિણામે એને પોતાનો જાન ગુમાવવો પડે છે તેમ ક્રોધ રૂપી શિકારીએ નાંખેલા દાણા ખાનારા ભવચક્રમાં ફસાયા વિના રહેતા નથી. તમે ક્રોધ કરો એટલે ઘરમાં એક ધાક જામી જાય, કોઈ તમારી ભૂલ કદાપિ કાઢે નહીં, ઘરમાં તમને પૂછ્યા વિના કોઈ કશું કરે નહીં, બધાં તમારાથી ડરે, તમારો કંટ્રોલિંગ પાવર બધા ઉપર કામ લાગે... ક્રોધના આવા આવા દેખીતા સારા ફળો તમને દેખાય છે. ક્રોધે જ આ દાણા નાંખ્યા છે. જો ક્રોધના આ દાણા જોઈ લલચાઈ ગયા અને દાણા ખાવા ગયા તો જાળમાં ફસાઈ ગયા વિના રહેવાના નથી. પરશુરામે 391

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434