Book Title: Ghar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 403
________________ મિથ્યાત્વના પ્રભાવે સુખના રસ્તા તરીકે ગુસ્સાને, છેતરપિંડીને, અન્યાયને... આવા દુષ્ટ તત્ત્વને જ સ્વીકારેલ છે. એટલે જ મંઝિલ એક હોવા છતાં માર્ગ બદલાઈ જવાથી છેલ્લે તો દુઃખ જ ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ અવળા માર્ગે ચડી જવાની ભૂલ નથી કરવી - આટલો સંકલ્પ પણ ખરો કે નહીં ? જો અંતરથી સ્વીકાર થાય કે “અશાંતિ અને અસમાધિ જ જ્યાં ડગલે ને પગલે મળે છે, તે આ ગુસ્સા વગેરે સુખનો માર્ગ હોઈ શકે નહીં, તો સાચા રસ્તે ચાલવાનો ઉત્સાહ પ્રગટે. જે રસ્તે ચાલો છો તે ખોટો છે' - આવી બુદ્ધિ જ જો નહીં પ્રગટે તો તે રસ્તે મુસાફરી અટકાવી સાચા રસ્તે મુસાફરી કરવાનો ભાવ જ ક્યાં જાગવાનો ? સુખનો સાચો રસ્તો બતાવવા માટે જ આ રોડ પોલિસીનું સર્જન થયું છે. અનંતા તીર્થકરોએ જે સુખ મેળવ્યું તે જ સુખ આપણને સોને જોઈએ છે. તો પછી તે માટે અનંતા તીર્થકરો જે રસ્તે ગયા તે રસ્તે જ જવું રહ્યું ને ? જો આ રસ્તે પણ સુખ મળી શક્યું હોત, ગુસ્સો કરી કરીને પણ અંતે સુખની પ્રાપ્તિ થતી હોત તો પરમાત્માએ શા માટે તે જ રસ્તો ન બતાવ્યો ? સ્વયં ન અપનાવ્યો ? જે રસ્તે પરમાત્માએ અને અનંતા જીવોએ શાશ્વત સુખ મેળવ્યું તે જ રસ્તે સુખ મળવાનું છે. આજ કે કાલ સુખ મેળવવા માટે તે રસ્તો અપનાવ્યા વિના છૂટકો જ નથી. રસ્તાને કોઈ પક્ષપાત નથી. પણ, જો તમે મુંબઈના રસ્તાને વળગી રહ્યા, તે રસ્તા ઉપરથી ચલાયમાન ન થયા તો મુંબઈ આવીને જ રહેવાનું છે. અને આબુના રસ્તે ગયા, તો આબુ પણ આવીને જ રહેવાનું છે. પછી તે અટકાવી શકાતું નથી. તેમ જો અશાંતિ અને ઉકળાટના માર્ગે જ ગયા, ગુસ્સાને જ સુખનો રસ્તો માની તેનું જ સેવન કર્યું તો દુઃખ આવ્યા વિના રહેવાનું નથી. તથા જો ક્ષમા, નમ્રતાના રસ્તે આગળ વધ્યા તો સુખ આવ્યા વિના રહેવાનું નથી. તીર્થકર જેવા તીર્થકરને પણ ક્ષમા દ્વારા જ અનંતસુખધામ સ્વરૂપ મોક્ષ મળેલ છે તો આપણા જેવાને ક્રોધ દ્વારા અનંતસુખધામ સ્વરૂપ મોક્ષ મળે તેવી કોઈ શક્યતા 384

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434