________________ દયાનંદ સરસ્વતી સમજી ગયા કે આ સમયે આ રીતે આવનાર વ્યક્તિ ચોર સિવાય બીજી હોય નહીં. અત્યંત મીઠાશથી એમણે કીધું - ‘ભાગ્યશાળી ! આ આશ્રમમાં તમને કશું નહીં મળે. જો તમે અહીં આવો, તો હું તમને આપું.” ચોરને લાગ્યું કે કદાચ સંતે પોતાની પથારી નીચે કે બીજે ક્યાંક રત્ન છૂપાવી રાખ્યું હશે. આમે ય સંતે એટલી મીઠાશથી ચોરને બોલાવ્યો હતો કે ચોર સ્વામીજી પાસે પહોંચ્યા વિના રહ્યો નહીં. સ્વામી દયાનંદ સરસ્વતીએ સામે ઉભેલા ચોરના શરીર ઉપર થોડી મોંઘી કાશ્મીરી શાલ ઓઢાડી દીધી અને કહ્યું - “જુઓ, હાલ તો મારી પાસે આના સિવાય વિશેષ કશું પણ આપવા લાયક છે નહીં. તમે પોતે પણ તપાસ કરી જ લીધી છે. છતાં આ શાલ તમે રાખી લો. તમને કામમાં આવશે. ચોર એકદમ ગળગળો થઈ ગયો. એ હજુ કશું આભાર માટે બોલવા જાય ત્યાં તો સ્વામીજી બોલ્યા - ‘ભાગ્યશાળી ! હવે બીજી વાત કર્યા વિના તાત્કાલિક અહીંથી નીકળો. તમને આવ્યે ઘણો સમય થઈ ગયો છે. જો અહીં કોઈ આવી ચડશે તો નાહક તમને તકલીફ પડશે. ઉ) ચોરને પણ હવે ભય લાગ્યો. કારણ કે પોતાને આવ્યે ઘણો સમય વીતી ગયો હતો. આજુબાજુમાંથી લોકોની વાતચીતના થોડાથોડા અવાજો આવી રહ્યા હતા, જે તેઓ જાગી ચૂક્યા છે તેની નિશાની હતી. માટે, ચોર વધુ દલીલ કર્યા વિના તે શાલ ઓઢી જે રસ્તે પોતે આવ્યો હતો તે જ રસ્તે બહાર નીકળવા લાગ્યો. પણ, આજુબાજુના લોકો જાગી ચૂક્યા હોવાથી તથા વિશિષ્ટ પ્રકારની શાલ જુદી પડી આવતી હોવાથી તે લોકોની નજરમાં ઝડપાઈ ગયો. લોકોએ ભેગા મળી તેને પકડી લીધો. સ્વામીજીની શાલ લઈને ભાગી જનાર આ કોઈ ચોર લાગે છે, તે વાત લોકોને સમજાઈ ગઈ. ચોર ઉપરનો દ્વેષ અને સ્વામીજી ઉપરની ભક્તિ - આ બન્નેથી પ્રેરાઈને લોકોએ ચોરની ધોલાઈ-પીટાઈ શરૂ કરી. ચોરની ચીસો ગુંજવા લાગી. દયાનંદ સરસ્વતીના કાન ઉપર જેવી આ ચીસો આવી કે તે 194