________________ નબળા પુણ્ય કરીને તું આવ્યો છે. માટે, આપત્તિઓના ઝંઝાસભાનું સુનામીઓ તારા જીવનમાં આવ્યું જ રાખવાની છે. આવા સમયે કોઈના પણ ઉપર મગજ ન ગુમાવીશ. થોડો સમય શાંત રહેતાં સદ્વિચારને અવકાશ મળશે. તથા ધીરજથી વિચારતાં સમજાશે કે “એ પ્રસંગે ક્રોધ કરવાની જરૂર જ ન હતી. તેથી ક્રોધને કાબૂમાં રાખજે. શરીર-સંપત્તિ કે સ્વજનોને વળગવાને બદલે પ્રભુભક્તિના અતલ ઊંડાણમાં ચાલ્યો જજે, ઊગરી જઈશ.” ફીશ પોલિસીના આ સંદેશાને હૃદયના શિલાલેખમાં કોતરી દઈએ અને આપત્તિના સમયમાં તથા શાંતિના સમયમાં સતત એને ઘૂંટીએ. પછી ગુસ્સો ગુમ થયા વિના રહેશે નહીં. ક્રોધ એ એવું ભયાનક વ્યસન છે, જેને સરળતાથી અપનાવી શકાય છે. પણ, તેનાથી છૂટતા નવનેજે પાણી ઊતરી જાય છે. - રીજીના થીમશૌર. ક્રોધ એટલે ક્ષણિક ગાંડપણ !!! - મહાત્મા ગાંધી 113