________________
૪૨
રાજહૃદય ભાગ-૧૩ પ્રગટ્યા છે એના પ્રત્યે બહુમાન આવવું, એ ગુણોને લક્ષમાં લઈને, એ દશાને લક્ષમાં લઈને બહુમાન આવવું. એ બહુમાન એમ સૂચવે છે કે પોતાને પણ એવી દશા પ્રાપ્ત કરવાની ભાવના છે એમ એ બહુમાન સૂચવે છે.
મુમુક્ષુ - ...
પૂજ્ય ભાઈશ્રી :- અર્થતત્ત્વમાં આ છે. અર્થતત્ત્વ કહો કે એની દશામાં પ્રગટેલા ગુણોને લક્ષમાં લઈને બહુમાન કરવું એનું નામ અર્થ છે. અને એ દશામાં રહેલું જે સતપણું છે, સત્યપણું છે એ એનું તત્ત્વ છે. જે ગુણો પ્રગટ્યા એ એનું તત્ત્વ છે. તે જ અર્થ અને તત્ત્વ છે. બીજું કોઈ અર્થતત્ત્વ નથી. અર્થ એટલે શબ્દાર્થ નહિ. એનો ભાવ. ભાવ લક્ષમાં આવવો જોઈએ. એ પ્રકાર હોય છે. જેને આત્મગુણો પ્રાપ્ત કરવા છે, આત્મ ગુણોની જેને મહિમા છે. એને એ ગુણ જેને પ્રગટ્યા છે એવા સપુરુષથી માંડીને ઉપર ઉપરના ગુણસ્થાનમાં અને સતુદેવ, એ બધા પ્રત્યેનો મહિમા વારંવાર આવ્યા વિના રહે નહિ. એની ચર્ચા, એના ગુણાનુવાદ, એ સંબંધીનો.
પાનું-૨૫૦માં નીચે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો...” ત્યાંથી લેવું છે. સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચારિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું.” સપુરુષ કેવા હોય એનું ચિંતવન, વિચાર કરવો. “સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. ખરેખર ... “આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિવણિને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. કેવી વાત કરી છે !
અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સન્દુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. એટલે અનંત કરુણા જ્ઞાનીઓને મુમુક્ષુઓ પ્રત્યે હોય છે.