________________
૪૬૮
રાજહૃદય ભાગ-૧૩ પ્રતિકૂળ છે, તોપણ પરમકારુણ્યવૃત્તિમાં એને જગ્યા નથી. એ વાતની જગ્યા નથી. ભવિ-અભગિની જગ્યા નથી, બીજી કયાંથી જગ્યા હોય ? એવી પરમકારુણ્યવૃત્તિ વર્તે છે. એટલે એનું અહીંયાં ચિહ્ન છે. એનું અહીંયાં લક્ષણ આવ્યું. જુઓ!
સામાન્ય દશાના મુમુક્ષને...” ઉત્કૃષ્ટ દશાના મુમુક્ષુની વાત હવે હું નથી કરતો. સામાન્ય મુમુક્ષુને મારો વ્યવહાર સંદેહનો હેતુ થાય તો એને ઓળખાણ ન થાય અને ઉપકાર થવામાં એ શું થાય ? મારું કારણ છે. એનું કારણ ગૌણ કર્યું. એને મુમુક્ષુની સામાન્યતા નથી અને ઉત્કૃષ્ટતા કેમ ન આવી એમ ન લીધું. એ હજુ સામાન્યદશામાં આવ્યો છે, સામાન્ય પાત્રતામાં આવ્યો છે તોપણ એનું હિત થાય એમ મારે વિચારવું જોઈએ. ઉત્કૃષ્ટ તો પાત્ર થશે તે દિઓળખશે. મારે શું ? એમ નથી વિચારતા. એને પણ ઉપકારમાં નિરોધરૂપ થતું હોય એવું તો એ જ્ઞાનીપુરુષ દેખે છે. અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે. આવું કોઈને ઊલટું નિમિત્ત થાય. એવું ન થાય તેટલા ખાતર પણ આવો પરિગ્રહાદિનો પ્રકાર મને હોવો ઘટે નહિ.
મુમુક્ષુ -. ,
પૂજ્ય ભાઈશ્રી - એ પણ એક કારણ છે. એ પણ દૃષ્ટિકોણ છે કે સામાન્ય મુમુક્ષને ઓળખાણ થતી નથી અને આ પૂર્વકર્મનો યોગ છે. અમારે ન તો લોભનું નિદાન છે, ન તો વિષયાદિની અનુકૂળતાનું કારણ છે. એક પરેચ્છાથી રહીએ છીએ. કાલ તો કેવી આવી વાત ! કેટલી વેદના છે !
મુમુક્ષુ – દેવું દેવાની.
પૂજ્ય ભાઈશ્રી :- દેવ દેવા માટે રહ્યા છે પણ વેદના થાય છે. ક્ષણે ક્ષણે એ વેદના થાય છે. કેમકે વ્યવહાર ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. ભજવો અને તજવો. પોતે કવિ છે ને ! એટલે બધા શબ્દો એવા જ આવે છે. ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. એમ કે તજવો છે પણ તજી શકાતો નથી. એવો પ્રકાર પ્રારબ્ધના ઉદયનો છે. તો ક્ષણે ક્ષણે ગંભીર વેદના થાય છે.
મુમુક્ષુ - બહારથી જોનારને ક્યાં દેખાય ?
પૂજ્ય ભાઈશ્રી – ક્યાંથી દેખાય? એ પત્રાંક) ૫૮૩ છે એ. કાલે ચર્ચામાં ચાલ્યું ને ?૪૫૮ પાને છે.
એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા કરે છે. લગભગ આખો