________________
૧૫૧
પત્રાંક-૬૬૧
જ હોય ને. બીજું શું થાય એમાં ?
અધિકાર ચાલતો હોય. એક વાત ઉપ૨ વિસ્તાર, દરેક વાત ઉ૫૨ વિસ્તારથી જે પ્રવચન આવતું હતું એનો આશય શું છે ? વિસ્તાર માટે વિસ્તાર ક૨વો છે ? નહિત૨ વળી એમ કરી જાય છે કે ભાઈ ! કેટલા દિવસ સુધી લંબાવ્યું. એમ નથી. આશય બીજો છે. વિસ્તાર થવા પાછળ આશય એ છે કે એમાંથી આત્માર્થ કઈ રીતે સરે છે ?
એક આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે માન્યતા કરીને કૃતાર્થતા માની હોય તો શાસ્ત્રીય અભિનિવેશમાં ચાલ્યો જઈશ. મિથ્યાત્વ નહિ છૂટે. સાસ્ત્રમાં તો મિથ્યાત્વનો અભાવ થવાની વાતો છે. અને છતાં મિથ્યાત્વ કેમ ન છૂટે ? એ શાસ્ત્રનું અધ્યયન કરતા પોતે તપાસતો નથી કે હું આત્માર્થે આ વાચું છું, એમાં કાંઈ મારું પ્રયોજન સરે છે ? આત્મપ્રાપ્તિ બળની દિશામાં હું કાંઈ આગળ વધું છું કે નથી વધતો ? એવી તપાસણી, એવું પોતાનું અવલોકન તો કાંઈક હોવું જોઈએ. એમનેએમ ગાડું હાંકે રાખ્યું. તો એ તો અનંત વા૨ એ જ કર્યું છે. ઓઘસંજ્ઞામાં જ અનંત કાળ કાઢ્યો છે. કાંઈ નથી કર્યું એવું નથી. બધું કર્યું છે પણ ઓઘસંજ્ઞાએ જ કર્યું છે. એ રીતે ભલે ગમે તેટલું કરે તોપણ તે શાસ્ત્રીય અભિનિવેશ છે. એ શાસ્ત્રીય અભિનિવેશમાં લઈ ગયા છે. એમાં અહંપણું કેવી રીતે થઈ ગયું ? અભિનિવેશમાં તો અહંપણું થાય છે. તો કહે છે, મેં આ શાસ્ત્ર વાંચ્યું ને ? આટલું ને મેં વાંચ્યું ને ? આ હું જાણું છું ને ? એવું જે આત્માર્થ એટલે આત્માનું પ્રયોજન સરતું નથી, આત્મપ્રાપ્તિની દિશામાં આગળ વધતો નથી અને એને એમ થયું કે ના મેં વાંચ્યું. એ અભિનિવેશમાં ચાલ્યો ગયો. જુઓ ! કેવી રીતે સૂક્ષ્મપણે અભિનિવેશ શરૂ થઈ જાય છે.
...
કોઈ અહંપણું કરીને વાદવિવાદમાં ઊતરે એ તો અભિનિવેશની ચોખ્ખી વાત છે. પણ અહીંયાં એવો સ્થૂળ અભિનિવેશ ન લ્યો. પણ પોતે વાંચ્યું છે, આ મેં વાચ્યું છું, આ હું સમજ્યો છું. આત્માર્થ કાંઈ સર્યો ન હોય. આત્મપ્રાપ્તિની જે દિશા છે એ દિશા ન પકડી હોય અને બહિર્લક્ષે જે કાંઈ એને વાંચવાની કૃતાર્થતા થઈ કે વાંચી તો લીધું મેં. આખું શાસ્ત્ર મેં પૂરું તો કર્યું. વાંચનારને અહીંયાં લાલબત્તી મૂકી છે. કે જો ભાઈ ! તું શાસ્ત્રીય અભિનિવેશમાં તો નથી આવી ગયો ને ? તા૨ો વર્ગ તપાસી લેજે. શાસ્ત્રીય અભિનિવેશમાં તો તું નથી વર્તતો ને ? શાસ્ત્ર વાંચીને શાસ્ત્રીય અભિનિવેશમાં રહીશ તો મિથ્યાત્વ નહિ છૂટે. એ મિથ્યાત્વ છોડવા માટે