________________
૧૨૯
પત્રાંક-૬૫૭ નિવૃત્તિ ઘણી રહેવાની, સંસારીક પ્રવૃત્તિ નહિ રહેવાની, તો એણે સત્સંગમાં નિત્ય નિવાસ કરવો. એણે એવા જ પોતાને યોગ્ય એવા, સત્સંગને યોગ્ય એવા જીવોનો. આત્મહિત કરવા ઇચ્છતા એવા જીવોના સંગમાં નિત્યપણે રહેવું. એમ જાણીને એ વાતને ઉપદેશી છે.
કે જે નિવૃત્તિને યોગે..” બાહ્ય નિવૃત્તિનો યોગ થવાથી શુભેચ્છાવાન એવો જીવ શુભેચ્છા એટલે ફરીને એ વાત એટલા માટે લીધી. “શુભેચ્છાવાન એવો જીવ...” એટલે આત્મહિતની જેની ઇચ્છા છે એવો જીવ. “સદ્દગુરુ...”ની યથાયોગ્ય ઉપાસના કરે એટલે જ્ઞાની પુરુષોના સંગમાં જાય. જેટલું બની શકે એટલો સંગ સદ્દગુરુનો કરે, “સપુરુષ..”નો કરે અને બાકીનો સમય “સાસ્ત્રની..” ઉપાસનામાં રાખે. સ@ાસ્ત્ર તો એક એવું નિમિત્ત છે કે ગમે ત્યારે મુમુક્ષજીવને કામમાં આવે છે. બીજી વ્યક્તિનો જ્યારે સંગ કરવો હોય ત્યારે તો તે વ્યક્તિની અનુકૂળ પરિસ્થિતિમાં સંગ થાય છે અથવા પોતાને સંગ કરવાને અનુકૂળ પરિસ્થિતિ હોય તો જ સંગ થાય છે. નહિતર બીજો સત્સંગ મળવો એટલો સુલભ નથી. જ્યારે સાસ્ત્રનો યોગ છે એ તો સન્શાસ્ત્ર જેણે વસાવ્યા હોય એને તો ગમે ત્યારે શાસ્ત્ર ઉઠાવીને સત્વશાસ્ત્ર . પોતાનો સમય વ્યતીત કરી શકે છે. એને એટલા માટે નિત્યબોધક કહ્યા છે.
સપુરુષને, સદ્ગુરુને નિત્યબોધક નથી કહ્યા. એ તો જ્યારે યોગ થાય ત્યારે તત્કાળબોધક કહ્યા છે. તે કાળે બોધ આપે છે. જ્યારે શાસ્ત્ર તો સદાય બોધ આપે છે. એટલે સદ્ગુરુ તત્કાળબોધક છે અને શાસ્ત્ર છે તે નિત્યબોધક છે. એમ બંનેના યોગની અંદર પોતપોતાના ગુણ-દોષ છે. પોતપોતાના ગુણ છે, પોતપોતાના દોષ છે. જેમ કે શાસ્ત્ર પરોક્ષ છે ત્યાં સન્દુરુષ પ્રત્યક્ષ નથી. તો ભલે ઓછા કાળની અંદર પણ સદ્ગુરુ કે સત્પરુષનો યોગ થાય, એ ભલે તત્કાળબોધક હોય તોપણ એ પ્રત્યક્ષ યોગ છે એનો ગુણ બહુ મોટો છે. એટલો ગુણ શાસ્ત્રથી ન થાય, જેટલો ગુણ સત્પરુષના સત્સંગથી થાય એટલો શાસ્ત્રથી નથી થતો. એટલે દરેકને પોતપોતાના ગુણ-દોષ છે.
સપુરુષનો યોગ છે એ નિત્ય રહેતો નથી. એમને પણ પોતાના ઉદય અનુસાર આવાગમન હોય છે અને પોતાને પણ પોતાના ઉદય અનુસાર આવાગમન હોય છે. એટલે એ યોગ પણ કાયમ મળતો નથી. પ્રત્યક્ષ યોગનો લાભ વિશેષ હોવા છતાં એટલો વિશેષ યોગ ન રહે જેટલો સાસ્ત્રનો યોગ રહી