________________
પત્રાંક-૬૭૭.
૨૭૭ ત્યારે તેને તે ઉપદેશ પરિણામી થાય એવી પરિસ્થિતિ ત્યાં વર્તતી નથી. એવે વખતે જ્ઞાનીને એમ થાય કે અત્યારે આને કાંઈ કહેવાનો અર્થ નથી. અત્યારે તો એ એટલો દોડાદોડમાં છે, ભાગાભાગમાં છે કે એને કાંઈ કહેવાથી અથવા એટલા અત્યારે એને પ્રસંગો ઊભા થયા છે. આ ઘરે કોઈવાર એવા પ્રસંગો આવે, લગ્નોના પ્રસંગો આવે છે, બીજા પ્રસંગો આવે છે, ઘણા મહેમાનો હોય, બીજું હોય, ઘણા કામ હોય, ઘણું બાકી હોય અને માણસ Tension માં હોય. એવા અનેક પ્રકારના સંયોગોમાં જ્યારે જિજ્ઞાસ વર્તતો હોય ત્યારે જ્ઞાનીના ઉપદેશમાં સંક્ષેપ થાય છે કે અત્યારે આને કાંઈ કહેવાનો કોઈ અર્થ રહેતો નથી.
અથવા એ જીવની યોગ્યતા ન હોય એમ લાગે કે આ વાત કરીએ પણ આને એ ગ્રહણ કરી શકે કે અત્યારે એને કોઈ આ વાત સમજાય, બીજી ઘણી વાતો સમજવાની અને બાકી હોય અને એને જિજ્ઞાસા થઈ હોય કે મને આ વાત સમજાવો. (છતાં એ જીવની) યોગ્યતા દેખાતી નથી. એ જાતની પાત્રતા દેખાતી નથી તોપણ એ ઉપદેશ દેવામાં સંક્ષેપમાં વર્તે છે, સંક્ષેપપણે વર્તે છે. એક તો એ જિજ્ઞાસુ સંબંધીનું બે પ્રકારનું કારણ લીધું. હવે પોતાની side ની વાત કરે છે. અથવા પોતાને...
મુમુક્ષુ – જ્ઞાનીની એટલી બધી હોય કે બરાબર આમ જોઈ લે.
પૂજ્ય ભાઈશ્રી – હા. બરાબર જોઈ લ્ય કે અત્યારે આને કાંઈ કહેવાનો અર્થ નથી. તો સહેજે એમની વાણી છે એ સંક્ષેપપણે વર્તે છે. ખ્યાલ આવી જાય છે એટલે એમનો ભાવ પણ એમાં સંક્ષેપપણે વર્તે છે. એટલે વિશેષપણે કહેતા નથી.
અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય.” પોતાને-જ્ઞાનીને પોતાને બહારનો વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય....” પોતાનો ઉદય. એને આપણે કોઈ ઉપદેશરૂપ વાત કરશું તો એને ઉલટું પડશે, કે ભાઈ ! તમે જરાક નિવૃત્ત થાવ. આરંભ-પરિગ્રહ ઓછો કરો, આત્મા માટે કાંઈક નિવૃત્તિ લ્યો એમ કહે) અને પોતા પાછા દુકાને જઈને બેસે. પોતે એવા વ્યવહારમાં વર્તતા હોય તો એને એમ થાય કે અત્યારે આ વાત કરવી એ મને ઠીક લાગતી નથી. એટલે પોતે બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય.” ઉલટાનો એને અવરોધ થાય. એને ઊંધો તર્ક ઉઠે.
અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના